Major Relief for Ram Rahim: રામ રહીમને મોટી રાહત: પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા, અન્ય 3 આરોપીની આજીવન કેદ યથાવત

0
109
Major Relief for Ram Rahim
Major Relief for Ram Rahim

Major Relief for Ram Rahim: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના મુખી ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કરીને મોટી રાહત આપી છે. વર્ષ 2019માં સીબીઆઈ કોર્ટે સંભળાવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટે રદ કરી છે, જોકે આ જ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની સજા યથાવત રાખવામાં આવી છે.

Major Relief for Ram Rahim: પૂરતા પુરાવાનો અભાવ

Major Relief for Ram Rahim

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આ હત્યા કેસમાં રામ રહીમ ષડયંત્રકારી હોવાના પૂરતા અને સચોટ પુરાવા મળ્યા નથી. શંકાના લાભ અને પુરાવાઓના અભાવે કોર્ટે રામ રહીમને આ કેસમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રામ રહીમ અગાઉ ડેરા મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં પણ હાઈકોર્ટમાંથી નિર્દોષ છૂટી ચૂક્યા છે.

Major Relief for Ram Rahim: ત્રણ આરોપીઓની સજા યથાવત

રામ રહીમને રાહત મળી હોવા છતાં, હાઈકોર્ટે આ કેસના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ – કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. કોર્ટે માન્યું કે આ ત્રણેય વિરુદ્ધ ગુનામાં સામેલ હોવાના મજબૂત પુરાવા અને સાક્ષીઓ ઉપલબ્ધ છે.

Major Relief for Ram Rahim: શું હતો સમગ્ર મામલો?

  • વર્ષ 2002: પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પોતાના અખબાર ‘પૂરા સચ’માં ડેરામાં થતા સાધ્વીઓના શોષણ અને અન્ય ગંભીર આરોપો પ્રકાશિત કર્યા હતા.
  • હત્યા: લેખ પ્રકાશિત થયાના થોડા સમય બાદ વર્ષ 2002માં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
  • CBI તપાસ: મામલાની ગંભીરતા જોઈને તપાસ CBIને સોંપાઈ હતી.
  • 2019નો ચુકાદો: પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 17 જાન્યુઆરી, 2019ના રોજ રામ રહીમ સહિતના આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
Major Relief for Ram Rahim

હજુ જેલમાં જ રહેવું પડશે

ભલે રામ રહીમ આ હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યા હોય, પરંતુ તેમને હાલ જેલમાંથી મુક્તિ મળશે નહીં. સાધ્વીઓના યૌન શોષણના કેસમાં તેમને 10 વર્ષની કેદની સજા થયેલી હોવાથી રામ રહીમે જેલમાં જ રહેવું પડશે.

આ પણ વાંચો :ડીંડોલીમાં ચકચાર: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી બે સખીઓની લાશ,