Home Main કેનેડામા ખાલિસ્તાન સમર્થકોનો 8મી જુલાઇએ થશે મોટુ શક્તિ પ્રદર્શન- ભારતીય દુતાવાસ ટાર્ગેટ...

કેનેડામા ખાલિસ્તાન સમર્થકોનો 8મી જુલાઇએ થશે મોટુ શક્તિ પ્રદર્શન- ભારતીય દુતાવાસ ટાર્ગેટ રહેવાની સંભાવના- સરકાર એલર્ટ મોડમાં

0
524

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો એ 8 જુલાઈના રોજ એક મોટા પ્રદર્શનનું એલાન કર્યું છે.આ પ્રદર્શન ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ થઈ રહ્યું છે. ખાલિસ્તાન સમર્થકો નો આરોપ છે કે, ભારતીય રાજદ્વારી ઓના ઈશારા પર નિજ્જરની હત્યા થઈ છે. આ પ્રદર્શન પહેલા કેનેડા પોલીસે ભારતીય રાજદ્વારી ઓને સુરક્ષા આપી છે. આ સાથે જ કેનેડાની સુરક્ષા એજન્સીઓ શીખ  કટ્ટરપંથીઓને લઈને સતત ચિંતિત છે. જો કે આ બધાની વચ્ચે કેનેડાના રાજકારણીઓ આ મુદ્દે ખુલીને વાત નથી કરી રહ્યા જેને વોટ બેંકની રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યું છે. ખાલિસ્તાન સમર્થકો ને લઇને ભારતીય દુતાવાસે પણ કેનેડા સરકાર સામે આપત્તિ નોંધાવી છે

ભારતીય દૂતાવાસને ઘેરવાની તૈયારી

હરદીપ સિંહ નિજ્જરની ગુરુદ્વારાની બહાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી આ હત્યાકાંડથી, કેનેડા, અમેરિકા અને લંડનમાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા. હવે 8મી જુલાઈએ ખાલિસ્તાન સમર્થકોએ આ દેશોમાં પ્રદર્શનનું એલાન કર્યું છે જેમાં ભારતીય દૂતાવાસને ઘેરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે પોસ્ટર ચોંટાડવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ખાલિસ્તાન પર કેનેડાના રાજકારણમાં મૌન

ખાલિસ્તાની સમર્થકોના આ સમગ્ર હંગામાને લઈને કેનેડાના રાજકારણમાં મૌન છે. કેટલાક મંત્રીઓના નાના નિવેદનો સિવાય અન્ય કોઈએ ખાલિસ્તાનને લઈને કોઈ મોટું નિવેદન નથી આપ્યું. વડાપ્રધાન તરફથી પણ કોઈ ખુલ્લેઆમ નિંદા કરવામાં આવી નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં કુલ 2.4 મિલિયન વિદેશી ભારતીયો રહે છે. જેમાંથી લગભગ 7 લાખ શીખ સમુદાયમાંથી આવે છે. જે દરેક પાર્ટી માટે મજબૂત વોટ બેંક છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો ડર ઘણો વધારે છે તેથી જ બાકીના શીખ સમુદાય પણ તેમના વિશે કશું બોલતા નથી. બીજી તરફ ભારતીય વિદેશીઓ પણ આ બાબતે મૌન રહેવું યોગ્ય માને છે.

ભારતીય રાજદ્વારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા 

ખાલિસ્તાની સમર્થકો દ્વારા પ્રદર્શનને લઈને જે પોસ્ટર જારી કરવામાં આવ્યા છે તેમાં અનેક ભારતીય રાજદ્વારીઓની તસવીરો લગાવવામાં આવી છે. તેમનો દાવો છે કે, નિજ્જરની હત્યા માટે આ જ લોકો જવાબદાર છે. આ રાજદ્વારીઓને સઘન સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. ભારતે પણ વાંધો વ્યક્ત કર્યો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે