Home State Gujarat અરવલ્લી : જુજ જમીન વિવાદે માનવતા ભુલાવી ! 4 દિવસ સુધી વૃદ્ધ...

અરવલ્લી : જુજ જમીન વિવાદે માનવતા ભુલાવી ! 4 દિવસ સુધી વૃદ્ધ મહિલાના કોઈએ ન કર્યા અંતિમ સંસ્કાર

0
703
વૃદ્ધ મહિલા
વૃદ્ધ મહિલા

એક સમયમાં એક જ ઘટનાના બે અલગ અલગ ચહેરા જોવા મળી રહ્યા છે, એક ચહેરો જે માત્ર પૈસા અને જમીનના કારણે પોતાના જ સબંધીના મૃત્યુ પછી અંતિમ સંસ્કારનો મલાજો પણ જાળવવા તૈયાર નથી. પરિવારજનોએ જ વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી, જયારે અન્ય એક ચહેરો પોલીસનો  માનવીય ચહેરો છે જે કોઈ જ લોહીના સબંધ વગર એ વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કરી આપે છે.

વૃદ્ધ મહિલા

વાત છે અરવલ્લી જીલ્લાના ટીટોઈના મુલજ ગામની. જ્યાં એક 98 વર્ષની વૃદ્ધ મહિલાનું ઠંડી અને બીમારીના કારણે નિધન થયું હતું, નિધન બાદ હિંદુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર ન હોવાના કારણે અંતિમ વિધિની પ્રક્રિયામાં વિલંબ પડ્યો હતો, જોકે સમગ્ર ઘટના એટલી કરુણા ઉપજાવે એવી છે કે તમારું હૃદય વાત સાંભળીને કાંપી ઉઠશે.

4 દિવસ સુધી વૃદ્ધ મહિલાના કોઈએ ન કર્યા અંતિમ સંસ્કાર

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 98 વર્ષીય મહિલાને પોતાની ૨ દીકરીઓ છે, જે મેઘરજ તાલુકાના ભેમરજ ગામે પરણાવેલી છે, દીકરીઓના વિવાહ બાદ વૃદ્ધ મહિલાએ પોતાને કોઈ જ દીકરો ન હોવાના કારણે જમીન જાયદાદને ગામના અન્ય લોકોને વેચી દીધી હતી, હવે આ જમીન મહિલાના મોત બાદ વિવાદનું કારણ બની હતી. મહિલાનું ઠંડી અને લાંબી બીમારી બાદ મોત નીપજતા સબંધીઓએ જમીન પોતાને ન આપી હોવાના કારણે મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી,

વૃદ્ધ મહિલા

મહિલાના મોત બાદ ચાર ચાર દિવસ સુધી મહિલાનો મૃતદેહ અંતિમ સંસ્કાર  વગર ઘરમાં પડી રહ્યો હતો, સમગ્ર ઘટનાની જાણ ટીટોઈ પોલીસ સ્ટેશને થતા ટીટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ અને સમગ્ર ટીમે માનવતા દર્શાવી પોતાને દીકરા સમક્ષ સમજી શાસ્ત્રોક વિધિ પ્રમાણે દીકરીઓની ઉપસ્થિતિમાં વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

વૃદ્ધ મહિલા

‘જળ, જમીન અને જોરુ એ કજીયારું છોરું’ આ કહેવતને સાર્થક કરતી સમગ્ર ઘટનાથી હલાહલ કળિયુગની ઓળખ સાબિત થાય છે, માત્ર જમીન વિવાદના કારણે પરિવારની મહિલાનો મૃતદેહ 4 દિવસ સુધી અંતિમ સંસ્કાર પણ ન પામી શકે તે કેટલું યોગ્ય છે, એ આ પરિવારે અને સમાજે વિચારવા જેવું છે. માણસના મૃત્યુ બાદ તેની મોતનો મલાજો જાળવવો  તો દુશમન પણ નથી ભૂલતો પરંતુ માત્ર જુજ જમીન વિવાદના કારણે પોતાના જ સબંધીનો મૃતદેહ 4 દિવસ સુધી અંતિમ સંસ્કાર વગર પડ્યો રહે તે લજ્જા પમાડે તેવું છે.                

તમે આ પણ વાંચી શકો છો

Japan Flight Fire : ભૂકંપ બાદ જાપાનમાં વધુ એક ભયંકર દુર્ઘટના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે