જાણો ભગવાન જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો

0
171
જાણો ભગવાન જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો
જાણો ભગવાન જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો

પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમમાં આજે પણ ધબકી રહ્યું છે . ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનો અંતિમ સંસ્કાર થયો તેમનું શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું પણ હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું રહ્યું હતું,, અને બિલકુલ સુરક્ષિત હતું ભગવાનનું હૃદય આજ સુધી સુરક્ષિત છે, જે પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમમાં આજે પણ ધબકી રહ્યું છે, જે બાબત ખૂબ ઓછા લોકોને ખબર છે.

ભગવાન શ્રીકૃષ્ણને કળિયુગ ના સાક્ષાત ભગવાન કહેવાય છે…પુરી (ઓરિસ્સા)માં જગન્નાથ સ્વામી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નિવાસ કરે છે,પણ એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી….દર 12 વર્ષે મહાપ્રભુજી ની મૂર્તિ ને બદલવામાં આવે છે, ત્યારે આખાય નગરમાં અંધકાર કરવામાં આવે છે, લાઈટ બંધ થયા પછી સેના મંદિરને ચોતરફ થી ઘેરી લે છે,તે સમયે મંદિરમાં કોઈપણનો પ્રવેશ નિષેધ હોય છે

 જાણો ભગવાન જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો

મંદિરમાં અંદર ગાઢ અંધકાર રહે છે, પૂજારીની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે, પૂજારીના હાથમાં ગ્લોવ્ઝ (એક પ્રકારના હાથમોજા) પહેરાવવામાં આવે છે, પછી પૂજારી જૂની મૂર્તિમાંથી (બ્રહ્મપદાર્થ) કાઢીને નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે…આ બ્રહ્મ પદાર્થ શુ છે ? આજસુધી આ બાબતની કોઈને ખબર નથી, એને આજસુધી કોઈએ જોયું નથી, હજારો વર્ષોથી આવી રીતે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં દર 12 વર્ષે બ્રહ્મ પદાર્થ ટ્રાન્સફર થાય છે. 

આ એક અલૌકિક પદાર્થ છે, જેના સ્પર્શ માત્રથી કોઈ પણ માણસના ચીંથરા ઉડી જાય, આ બ્રહ્મ પદાર્થ નો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે પણ આ શું કે કોઈ જાણી પણ શકે નહીં ? ભગવાન જગન્નાથજી અને બીજી મૂર્તિઓ જે વર્ષે બે અષાઢ માસ હોય ત્યારે બદલે છે, તેને નવ કલેવર કહે છે. અમુક પૂજારીઓનું કહેવું છે કે જ્યારે અમે તે બ્રહ્મ પદાર્થ હાથમાં લીધો તો સસલા જેવું કંઈક ઉછળે છે, પણ આંખો પર પટ્ટી બાંધેલ હોવાને લીધે અને હાથમાં ગ્લોવ્ઝ હોવાને કારણે માત્ર મહેસુસ કર્યું છે. આજે પણ દરવર્ષે રથયાત્રાના ઉપલક્ષ્યમાં પુરીના રાજા પોતે સોનાની સાવરણી થી ઝાડું લગાવવા આવે છે 

     

 જાણો ભગવાન જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો

ભગવાન જગન્નાથજી ના મંદિરના સિંહદ્વારમાં પ્રથમ પગ મુકતાની સાથે જ સમુદ્રની લહેરોનો આવાઝ સંભળાતો બંધ થઈ જાય છે,પણ નવાઈની વાત એ છે કે જેવો પગ મંદિરની બહાર મુકો એટલે સમુદ્રનો આવાઝ આવવા લાગે છે. તમે મોટેભાગે મંદિરોના શિખર ઉપર પક્ષીઓને બેસતા ઉડતા જોયા હશે, પરંતુ આજ સુધી જગન્નાથજી ના મંદિર શિખર ઉપરથી કોઈ પક્ષી પસાર થયું નથી કે નથી બેઠું,, મંદિરની ધ્વજા હંમેશા પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે….દિવસમાં કોઈપણ સમયે ભગવાન જગન્નાથજીના મંદિરનો જમીન પર પડછાયો નથી પડતો. ભગવાન જગન્નાથ મંદિર ના 45 માળના શિખર ઉપર સ્થિત ધ્વજા ને રોજ નિયમિત બદલવામાં આવે છે, એવી માન્યતા છે કે એક દિવસ પણ જો ધ્વજ બદલવામાં ના આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રાખવું પડે છે. આવી જ રીતે ભગવાન જગન્નાથજી ના મંદિર ના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે, જેને દરેક દિશા પરથી જોતા તમને તમારી સામે જ દેખાય છે. ભગવાન જગન્નાથજી મંદિરમાં દરરોજ બનતો પ્રસાદ ભક્તોને માટે ક્યારેય ઓછો પડ્યો નથી, પરંતુ નવાઈની વાત એ છે કે જેવાં મંદિરના પટ બંધ થાય ઇવો પ્રસાદ પણ પૂરો થઈ જાય છે સનાતન ધર્મમાં ચારધામની યાત્રામાં રામેશ્વરમ અને કેદારેશ્વરની સાથે જગન્નાથપુરી અને દ્વારિકાપુરીનો સમાવેશ થાય છે.