ખાલીસ્તાન સમર્થક અમૃતપાલ સિહની પત્નીને પોલીસે કરી અટકાયત

0
31

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. વિગતો મુજબ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી. જોકે અત્યારે અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઇએ કે પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે તેના સેંકડો સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.