કેરળઃટ્રેનમાં પેટ્રોલ છાંટી 3 લોકોને જીવતા સળગાવી દેનાર આરોપી ઝડપાયો

    0
    140
    [et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

    કેરળમાં થોડા સમય પહેલા ચાલુ ટ્રેનમાં એક શખસે પેટ્રોલ છાંટીને 3 લોકોને જીવતા સળગાવી દીધા હતા. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ અને મહારાષ્ટ્ર એટીએસની ટીમને આ મામલે મોટી સફળતા મળી છે.આ કેસમાં ફરાર આરોપી શાહરૂખ સૈફીની મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના રત્નાગિરી રેલવે સ્ટેશનથી અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીને ટ્રેનમાંથી કૂદતી વખતે ઈજા થઈ હતી. જેની સારવાર રત્નાગીરી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતુ પોલીસ દરોડાની માહિતી મળતાં જ આરોપી તે સારવાર પૂરી કર્યા વિના જ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. બાદમાં તે રત્નાગીરી રેલવે સ્ટેશન પરથી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

    [/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]