India-Japan Bullet Train Rift: ભારત અને જાપાનના મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ આ પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ માટે ભારત સરકારના વલણને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે ભારત વારંવાર પોતાના વાયદાઓમાંથી ફરી ગયું છે.
India-Japan Bullet Train Rift: શું છે જાપાનના પૂર્વ મંત્રીના આક્ષેપો?
હિદેકી માકિહારાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “પ્રોજેક્ટ મોડો થવાનું સૌથી મોટું કારણ ભારતીય મંત્રીનું વલણ રહ્યું છે.” તેમના મતે:
- વાયદાભંગ: ભારતીય પક્ષે ઘણી વખત જે કરારો કર્યા હતા તેમાંથી તેઓ પાછળ હટી ગયા.
- શરતોમાં ફેરફાર: ભારત દ્વારા છેલ્લી ઘડી સુધી પોતાની રીતે શરતો બદલવામાં આવતી હતી, જેને કારણે પ્રોજેક્ટની ગતિ રૂંધાઈ છે.
- વડાપ્રધાનની મુલાકાતનું પરિણામ શૂન્ય: માકિહારાએ દાવો કર્યો કે તાજેતરમાં જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીની ભારત મુલાકાત (1-3 જુલાઈ 2026) બાદ થયેલા 129 કરારો છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી.
- ટેકનોલોજીનો મુદ્દો: તેમણે અહેવાલો ટાંકીને કહ્યું કે, બુલેટ ટ્રેનની અત્યંત મહત્વની એવી ‘સિગ્નલિંગ સિસ્ટમ’માં જાપાનને સામેલ કરવામાં આવ્યું નથી.
India-Japan Bullet Train Rift: પ્રોજેક્ટની સ્થિતિ અને જાપાનનું રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન PM શિન્ઝો આબેએ 2017માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનું મહત્વ એટલા માટે છે કારણ કે:
- આર્થિક સહાય: ₹2 લાખ કરોડના કુલ અંદાજિત ખર્ચમાંથી ₹88 હજાર કરોડનું રોકાણ જાપાન કરી રહ્યું છે.
- સસ્તી લોન: જાપાનની એજન્સી JICA આ રકમ માત્ર 0.1% ના નજીવા વ્યાજ દરે આપી રહી છે, જેની ચુકવણી માટે 50 વર્ષનો લાંબો સમયગાળો મળ્યો છે.
- રૂટની ખાસિયત: 508 કિમીના આ રૂટમાં 92% ટ્રેક એલિવેટેડ હશે અને 7 કિમીનો હિસ્સો સમુદ્રની અંદર હશે.
India-Japan Bullet Train Rift: ભારત સરકારની પ્રતિક્રિયાની પ્રતીક્ષા
જાપાનના પૂર્વ મંત્રીના આ ગંભીર આક્ષેપો બાદ હવે તમામની નજર ભારત સરકારના સત્તાવાર જવાબ પર છે. અત્યાર સુધી ભારત સરકાર કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




