પાકિસ્તાનને તુર્કી અથવા મ્યાનમાર બનતું રોકવા માટે જનતા સક્ષમ : ઇમરાન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે, PTI સુપ્રીમો ઇમરાન ખાને પાકિસ્તાનની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, “આજે આપણે આપણા બંધારણીય ઈતિહાસના એક એવા વળાંક પર ઉભા છીએ, જ્યાં આપણે તુર્કી અથવા બીજા મ્યાનમાર જેવા બની શકીએ છીએ. આ હવે દરેક વ્યક્તિએ પસંદ કરવાનું છે કે, તેઓ બંધારણ, કાયદાના શાસન અને લોકશાહી સાથે ઊભા છે કે ભ્રષ્ટ માફિયા સાથે ઊભા છે. પાકિસ્તાનની સ્થિતિ એવી બની ગઈ છે કે તે મ્યાનમાર જેવો બીજો સૈન્ય-નિયંત્રિત દેશ બની શકે છે અથવા તુર્કીને અનુસરી શકે છે કે જેણે જુલાઈ 2016માં લશ્કરી બળવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.”
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.