આર એસ એસના વડા મોહન ભાગવત ફરી આવશે ગુજરાત, જીએમડીસી ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે

0
182

ગુજરાતમાં આર એસ એસ હવે વધુ એકટિવ જોવા મળી રહ્યું છે. હજુ સોમવારે જ સંત સંમેલન કાર્યક્રમાં આર એસ એસના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. ત્યારે ફરી એક વાર આર એસ એસ વડા મોહન ભાગવત ગુજરાત આવશે અને જીએમડીસી ગ્રાઉન્ડ પર સંઘ સમાજ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 હજારથી વધુ કાર્યકર્તા ઉપસ્થિત રહી શકે છે તમને જણાવી દઇએ કે 14 અને15 એપ્રિલે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવવાના છે. 14 એપ્રિલે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને તેઓ સંબોધન કરશે. 15 હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. વર્ષ 2015માં મોહન ભાગવતે ગુજરાતની અંદર જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. ત્યાર બાદ આટલા સમયે ફરી એકવાર મોહન ભાગવત સભા સંબોધન કરવા જઇ રહ્યા છે. જોકે વર્ષે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ સભા રાજકીય રીતે પણ ખૂબ મહત્વની માનવામાં આવશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.