Holi Dhuleti 2026: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ, ધૂળેટીના દિવસે જ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; જાણો હોળી પ્રાગટ્યનું મુહૂર્ત

0
96
Holi Dhuleti

Holi Dhuleti 2026: વર્ષ 2026માં રંગોનો પર્વ હોળી-ધૂળેટી આસ્થા અને ખગોળીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ બની રહેશે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળીના પર્વ પર ‘ચંદ્રગ્રહણ’નો વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે.

Holi Dhuleti 2026: હોળાષ્ટક: 24 ફેબ્રુઆરીથી શુભ કાર્યો પર બ્રેક

Holi Dhuleti 2026

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જેમાં લગ્ન, જનોઈ કે વાસ્તુ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.

  • પ્રારંભ: 24 ફેબ્રુઆરી 2026, મંગળવાર.
  • પૂર્ણહુતિ: 3 માર્ચ 2026 (ધૂળેટીના દિવસે).

Holi Dhuleti 2026: હોળી પ્રાગટ્ય અને મુહૂર્ત (2 માર્ચ 2026)

ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. આ વર્ષે હોળી પ્રાગટ્ય માટે સાંજે ખૂબ જ ટૂંકો અને મર્યાદિત સમય મળી રહ્યો છે.

  • પૂનમ તિથિ પ્રારંભ: 2 માર્ચ, સોમવાર સાંજે 5:55 કલાકે.
  • પૂજન-પ્રાગટ્ય મુહૂર્ત: સાંજે 6:40 થી રાત્રે 9:05 સુધી.

ભદ્રાનો વિચાર: પૂનમની સાથે જ સાંજે 5:55 થી ભદ્રા (વિષ્ટિ કરણ) શરૂ થશે. જોકે, સોમવારની ભદ્રા કલ્યાણકારી માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે ભદ્રાના મુખના ભાગનો ત્યાગ કરી પૂછ ભાગમાં ધાર્મિક વિધિઓ કરી શકાશે.

Holi Dhuleti 2026: ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ: ભારતમાં દેખાશે

3 માર્ચ 2026, મંગળવારના રોજ જ્યારે આખો દેશ ધૂળેટીના રંગોમાં રંગાયેલો હશે, ત્યારે આકાશમાં ખગોળીય ઘટના સ્વરૂપે ચંદ્રગ્રહણ સર્જાશે.

  1. દ્રશ્યતા: આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધી જશે.
  2. ધાર્મિક અસર: ગ્રહણને કારણે મંદિરોના દ્વાર અને પૂજાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
  3. સાધના માટે શ્રેષ્ઠ: જ્યોતિષીઓના મતે આ દિવસ મંત્ર-સાધના અને દાન-પુણ્ય માટે અત્યંત સંવેદનશીલ અને ફળદાયી રહેશે.

આ પણ વાંચો :સુરત મનપામાં ACBની સર્જિકલ સ્ટ્રાઈક: 15 લાખના તોડમાં પત્રકાર 4 લાખ લઈ ફરાર, ક્લાસ-1 અધિકારી વિપુલ ગણેશવાલા વિરુદ્ધ ગુનો દાખલ