Home State Gujarat ગુજરાત : રત્ન કલાકારો આર્થીક સંકડામણમાં , 30થી વધુએ કરી આત્મહત્યા

ગુજરાત : રત્ન કલાકારો આર્થીક સંકડામણમાં , 30થી વધુએ કરી આત્મહત્યા

0
542
ગુજરાત : રત્ન કલાકારો આર્થીક સંકડામણમાં , 30થી વધુએ કરી આત્મહત્યા
ગુજરાત : રત્ન કલાકારો આર્થીક સંકડામણમાં , 30થી વધુએ કરી આત્મહત્યા

ગુજરાતમાં હીરા ઉદ્યોગને રશિયા યુક્રેન યુદ્ધની અસર પહોંચી છે અને છેલ્લા પાંચ મહિનામાં 30 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. મળતી માહિતી પ્રમાણે રશિયા યુક્રેન યુધ્ધને કારણે હીરા ઉદ્યોગ ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં બહોળા પ્રમાણમાં છે તે તમામ કારખાનાઓમાં જાણે મંદીનું ગ્રહણ લાગ્યું છે . એક સમયે આ હીરા ઉધોગના કારખાના 24 કલાક ધમધમતા હતા જે આજે માંડ આઠ થી દસ કલાક ચાલુ હોય છે. આ ઉપરાંત છેલ્લા પાંચ મહિનામાં રત્ન કલાકારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે . રશિયાથી આવતો હીરાનો કાચો માલ આવતો હતો જે લગભગ નહીવત પ્રમાણમાં આવી રહ્યો છે જેણે કારણે મોટા ભાગના હીરાના કારખાનાઓમાં અલીગઢના તાળા લગાવવાનો સમય આવ્યો છે. જાણકારો કહી રહ્યા છેકે રશિયા અને યુક્રેન યુદ્ધની અસર છેલા ઘણા સમયથી દેખાવા લાગી હતી અને ગુજરાતમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો બેરોજગારીનો શિકાર બન્યા છે. સાથે સાથે હજારો -લાખો રત્ન કલાકારો આર્થિકભીંસ પણ અનુભવી રહ્યા છે . અને રત્ન કલાકારો પોતાની જીવનલીલા સંકેલી રહ્યા છે.

અમદાવાદમાં હીરાના 300થીવધુ કારખાના બંધ હાલતમાં છે અને લાખો કામદારો હાલ કફોડી હાલતમાં મુકાયા છે. અમદાવાદ શહેરમાં 1.41 લાખ રત્ન કલાકારો રો-હીરા ઉદ્યોગ સાથે કામ કરે છે અને રોજગારી મેળવે છે. અને શહેરમાં 700થી વધુ કારખાના પણ આવેલા છે. જોકે 300થી વધુ કારખાના બંધ હાલતમાં છે. આ ઉપરાંત કામદારો મજુર કાયદા હેઠળ લેવામાં આવતા નથી અને તેમને કોઈ પ્રકારના લાભ આપવામાં આવતા નથી અને હીરા ઉદ્યોગોની એવી દશા છેકે , હજારો રત્ન કલાકારો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. હાલ મંદીના સમયમાં આ કામદારોના પગારમાં 30થી લઈને 50 ટકા સુધીનો ઘટાડો કરાયો છે. સપ્તાહમાં બે દિવસ કારખાના બંધ રખાય છે અને માત્ર પાંચ દિવસ રત્ન કલાકારોને કામ મળી રહ્યું છે.

એક તરફ આર્થિક બે રોજગારી અને મોંઘવારી બંને વચ્ચે પીસાતા આ કામદારો કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપે છે પણ આ હીરા ઉદ્યોગની એવી દશા છેકે હજારો કામદારો હાલ તહેવારોના સમય વચ્ચે મુશ્કેલીમાં છે અને છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતમાંથી 30 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તે ચોકાવનારા સમાચાર છે. આ કામદારો રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છેકે રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે અને આર્થિક પેકેજની માંગ કરી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે