Gujarat Panchayat News: રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કુલ 111 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી (Inter-District Transfer) નો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલયથી બહાર પાડવામાં આવેલા આ આદેશને પગલે પંચાયત આલમમાં ભારે સવસવાટ જોવા મળી રહ્યો છે.
Gujarat Panchayat News: તલાટી, ક્લાર્ક અને સ્ટાફ નર્સ સહિતની કેડરનો સમાવેશ
સરકારના ઠરાવો અને નિયમોને આધીન રહીને કરવામાં આવેલી આ બદલીઓમાં પંચાયત સેવાના અલગ-અલગ વર્ગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે નીચેની કેડરના કર્મચારીઓ પ્રભાવિત થયા છે:
- તલાટી કમ મંત્રી
- જુનિયર ક્લાર્ક
- સ્ટાફ નર્સ
- ગ્રામ સેવક
Gujarat Panchayat News: કયા-કયા જિલ્લાઓમાં ફેરબદલ થઈ?
આ બદલીના આદેશમાં રાજ્યના ભૌગોલિક ક્ષેત્રોને વ્યાપક રીતે આવરી લેવામાં આવ્યા છે:
- બદલી પામેલા કર્મચારીઓના મૂળ જિલ્લા: ડાંગ, ખેડા, રાજકોટ, નવસારી, મહીસાગર, આણંદ, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, તાપી અને સુરત.
- નવું નિમણૂક સ્થાન (જિલ્લા): બદલાયેલા કર્મચારીઓમાંથી કેટલાકને ગાંધીનગર, વલસાડ, મોરબી, પંચમહાલ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
Gujarat Panchayat News: DDO ને તાકીદ: તાત્કાલિક અસરથી કરવા પડશે હાજર
સરકારી આદેશ અનુસાર, બદલી પામેલા તમામ 111 કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા નિયુક્ત જિલ્લામાં ફરજ પર હાજર થવાનું રહેશે. હાલમાં જે તે જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા આ કર્મચારીઓને છૂટા (Relieve) કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ને સોંપવામાં આવી છે.
મહત્વનો નિયમ: આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બદલી પામેલા કર્મચારીઓને પોતાના મૂળ જિલ્લાના DDO ની પૂર્વ મંજૂરી વિના ફરી પાછા મુક્ત કરી શકાશે નહીં. આ ઉપરાંત, નવી જગ્યાએ હાજર થયા બાદ કર્મચારીના તમામ સર્વિસ રેકોર્ડ અને વહીવટી દસ્તાવેજો જે-તે નવી જિલ્લા કચેરીએ મોકલવાના રહેશે.






વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




