Chandipura: ગુજરાતના ‘ચાંદીપુરા’ વાયરસના પડઘા સંસદમાં, ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલ

0
237
Chandipura: ગુજરાતના ‘ચાંદીપુરા’ વાયરસના પડઘા સંસદમાં, ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલ
Chandipura: ગુજરાતના ‘ચાંદીપુરા’ વાયરસના પડઘા સંસદમાં, ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલ

Chandipura Virus: સંસદ સત્ર શરૂ થતાની સાથે જ બંને ગૃહોમાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો છે. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. ત્યારે ગઇકાલે બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાની જીત બાદ પ્રથમવાર સંસદમાં સબોધન આપ્યું. ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસની ગંભીરતા લેવા માટેની રજૂઆત કરી.

Chandipura: વકરતા વાયરસને કાબૂમાં લેવા રજૂઆત

લોકસભામાં ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં વકરતા ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) ને જલ્દીથી જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ માંગ કરી હતી.

બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો

લોકસભામાં પોતાના સંબોધનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે. 

2 175
Chandipura: ગુજરાતના ‘ચાંદીપુરા’ વાયરસના પડઘા સંસદમાં, ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલ

ગેનીબેન ઠાકોરે કહ્યું કે; અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે. આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકો તેનો શિકાર બની રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. તેને ગંભીરતાથી નોંધ લેવામાં નહીં આવે તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.

ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા

ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવી રહ્યા છે. તેમજ ભાજપની હેટ્રિક રોકવામાં પણ તેઓ સફળ ગુજરાત કોંગ્રેસમાં તેમનું કદ વધ્યું છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં વાવ સીટથી હાર્યા બાદ ગેનીબેન ઠાકોર અટક્યા નહીં અને 2017માં વાવ સીટથી ચૂંટણી જીતી હતી. ગેનીબેન 40 વર્ષની ઉંમરમાં ધારાસભ્ય બન્યા હતા. તેમને હાલના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને માત આપી હતી. તમામ વિષમ પરિસ્થિતિઓ છતા ગેનીબેને આ બેઠક પરથી 2022માં જીત મેળવી. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગેનીબેનને બનાસકાંઠાથી ઉતારવામાં આવ્યા. ગેનીબેને ભાજપની ગુજરાતમાં ક્લિનસ્વીપ રોકી દીધી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો