ભારત સરકારનું ઓપરેશન કાવેરી પૂર્ણ

0
65

સુદાનમાં ફાટી નીકળેલા ગૃહ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભરત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યો હતો.ઓપરેશન કાવેરી હેઠળ 3862 મુસાફરોને ભારત પરત લાવવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી પૂર્ણ થયું છે.ભારતીય વાયુ સેનાનું  છેલ્લું વિમાન 47 મુસાફરો સાથે ભારત પરત ફર્યું છે. આ સાથે ઓપરેશન કાવેરી પણ પૂર્ણ થયું છે.આ અંગેની માહિતી વિદેશ મંત્રી એસ.જય શંકરે આપી છે. નોંધનીય છે કે સુદાનમાં ગૃહ યુદ્ધને પગલે સ્થિતિ ખુબ જ ખરાબ છે.અને અનેક લોકો ફસાઈ ગયા છે.અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે  વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ