Home Main અમને લખતા શરમ આવે છે, તમને  વાંચતા પણ આવવી જોઈએ.. વરરાજાને થપ્પડ...

અમને લખતા શરમ આવે છે, તમને  વાંચતા પણ આવવી જોઈએ.. વરરાજાને થપ્પડ કેમ ? કેમ કે તે દલિત છે ?   

0
925
Gandhinagar
Gandhinagar

Gandhinagar : આપણે અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવી ગયા પરંતુ માનસિકતા હજુ પણ આપણી એટલી જ બીમાર છે, દુનિયા આખાને આપણે  વસુધેવ કુટુમ્બકમ વિશે સમજાવીએ છીએ પરંતુ પોતાના જ દેશના- ગામના લોકોને આપણે કુટુંબનો ગણતા નથી, દુનિયા આખી ૨૧મી સદીની મધ્યમાં પહોંચવા આવી પરંતુ હજુ આપણી માનસિકતા એજ ૧૯ મી સદીની છે. માણસાઈની નજરે શરમ આવી જાય તેવી જ એક ઘટના આપણા ગુજરાતમાં બની છે, જેમાં એક વરરાજાને વરઘોડો કાઢતા માર પડ્યો કેમ કે એ જાતિથી દલિત છે.

       

Gandhinagar

ગઇકાલે પાટનગર Gandhinagar માંથી એક આઘાતજનક ઘટના સામે આવી હતી, જિલ્લાના ચડાસણા ગામે એક દલિત યુવકના વરઘોડાને રોકવામાં આવ્યો હતો, એટલું જ નહીં બાદમાં વરરાજાને ઘોડી પરથી ઉતારીને માર માર્યો હતો. ગામના ચાર માથાભારે શખ્સોએ જાન લઇને આવેલા દલિત પરિવારને વરઘોડા કાઢવાની ના પાડી દીધી હતી, અને બાદમાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે માણસા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી, હવે પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની અટકાયત કરી છે.

Gandhinagar

પાટનગર Gandhinagar ના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો. જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gandhinagar : ચાર શખ્સોએ આવી વરઘોડામાં તોફાન મચાવ્યું

Gandhinagar


ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા ચાવડા પરિવારના સભ્યો તેમના પુત્ર વિકાસના લગ્ન હોય જાન લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામ પહોંચ્યા હતા. 12 ફેબ્રુઆરીએ ચાવડા પરિવારના સભ્યો જ્યારે ચડાસણ ગામના ચોકમાં પહોંચ્યા ત્યારે સામેથી દીકરી પક્ષના લોકો સામૈયું લઈને આવ્યા હતા. જાનૈયાઓ ડીજેના તાલે નાચતા નાચતા કન્યાપક્ષના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવી ચડેલા એક શખ્સે ઘોડી પર સવાર વરરાજાની ફેટ પકડીને નીચે ઉતાર્યો હતો. માથાભારે શખ્સે કહ્યું તું કે, ‘દલિતોએ વરઘોડો નહીં કાઢવાનો. ગામનો રિવાજ ખબર નથી?, વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે’ ગાળો બોલી રહેલા શખ્સને જાનૈયાઓએ શાંત પાડવાનો પ્રયાસ કરતા આ સમયે અન્ય ત્રણ લોકો તેનું ઉપરાણું લઈને આવ્યા હતા અને જાનૈયાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી.

Gandhinagar : લગ્નપ્રસંગ પૂર્ણ કર્યા બાદ પરિવારે ફરિયાદ નોંધાવી

Gandhinagar


વરઘોડા દરમિયાન બબાલ થતા ચાવડા પરિવારના સભ્યોએ 100 નંબર ડાયલ કરી ઘટનાસ્થળ પર પોલીસ બોલાવી લીધી હતી. બાદમાં લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ વરઘોડામાં તોફાન મચાવનારા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશકમાર જીવણજી ઠાકોર, સમીરકુમાર દિનેશજી ઠાકોર અને અશ્વિનકુમાર રજૂજી ઠાકોર નામના ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર લખતા અમને જેટલી શરમ આવી રહી છે, આપણી માનસિકતા પર, આશા રાખીએ છીએ તમને પણ એટલી જ શરમ અને લાજ અનુભવાય આ વાંચતા, કેમ કે દેશને જો પ્રેમ કરો છો, તો સમજો અને વિચારો દલિત સમુદાય પણ આ દેશના જ નાગરિક છે જે દેશને તમે ભારત માં કહીને બોલાવો છો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

     

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે