ખાલિસ્તાન મુદ્દે ભારત ફરી આકરા પાણીએ,ભારતે લીધો મહત્વનો નિર્ણય

0
164
ખાલિસ્તાન મુદ્દે ભારત ફરી આકરા પાણીએ,ભારતે લીધો મહત્વનો નિર્ણય
ખાલિસ્તાન મુદ્દે ભારત ફરી આકરા પાણીએ,ભારતે લીધો મહત્વનો નિર્ણય

ખાલિસ્તાન મુદ્દે ભારત ફરી આકરા પાણીએ

ભારત કેનેડાના 40 રાજદ્વારીઓને હાંકી કાઢશે

62 કેનેડિયન રાજદ્વારીઓ કામ કરે છે

ખાલિસ્તાન મુદ્દા પર ભારત અને કેનેડા વચ્ચેના મડાગાંઠ વચ્ચે, ભારતે કેનેડિયન અધિકારીઓને 10 ઓક્ટોબર સુધીમાં લગભગ 40 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે અન્યથા તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, ભારત સરકારે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.ભારતમાં 62 કેનેડિયન રાજદ્વારીઓ કામ કરે છે, જેમાંથી લગભગ 40 રાજદ્વારીઓને પાછા ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાનો રાજદ્વારી સ્ટાફ કેનેડામાં ભારતના રાજદ્વારી સ્ટાફ કરતા મોટો છે અને સમાનતા હોવી જોઈએ. અગાઉ, ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકામાં કેનેડાને આ જવાબ આપ્યો હતો

અમેરિકામાં એસ જયશંકરે કહ્યું હતું કે, “કેનેડાના વડા પ્રધાને જે રીતે ખાનગી અને જાહેરમાં આક્ષેપો કર્યા તે યોગ્ય નથી. કેનેડાએ ખાલિસ્તાનીઓ પર લગામ લગાવવી જોઈએ. ભારત માને છે કે કેનેડામાં હિંસા અને ભયનું વાતાવરણ છે, જરા તેના વિશે વિચારો. અમારા મિશન પર સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યા છે. અમારા કોન્સ્યુલેટની સામે હિંસા થઈ રહી છે અને લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને એટલું જ નહીં, લોકોને ડરાવવામાં પણ આવ્યા છે. શું તમે લોકો આને સામાન્ય માનો છો? જો આવું કોઈ અન્ય દેશ સાથે થયું હોત તો શું પ્રતિક્રિયા હોત?

ભારતે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ભારત પર આરોપ લગાવ્યા બાદ કેનેડા સાથેની મડાગાંઠ ચાલુ છે. કેનેડા પર ભારત સતત કડક વલણ અપનાવી રહ્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ