Home Desh શાકભાજીના ભાવ વધારા પર વિવાદાસ્પદ નિવેદન,વાંચો અહીં

શાકભાજીના ભાવ વધારા પર વિવાદાસ્પદ નિવેદન,વાંચો અહીં

0
432

શાકભાજીના ભાવ વધારા પર વિવાદાસ્પદ નિવેદન

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

 શાકભાજીના ભાવ વધારા માટે મુસ્લિમો જવાબદારઃહિમંતા બિસ્વા સરમા

AIUDFના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે ભાજપ પર કર્યો પ્રહાર

ભાજપ  ધર્મના આધારે સમુદાયોને વિભાજીત કરે છેઃ અમીનુલ ઈસ્લામ

અમીનુલ ઈસ્લામ, AIUDFના ધારાસભ્ય 00-1.07

શાકભાજીના ભાવ વધારા પર વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શાકભાજીના ભાવ વધારા માટે મિયા સમુદાયના મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા બાદ વિવાદ સર્જાયો છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે ભાજપ પર જાતિ અને ધર્મના આધારે સમુદાયોને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો છે.AIUDF ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપે લાભ મેળવવા માટે જાતિ અને ધર્મના નામે સમુદાયોને વિભાજીત કરવાની રણનીતિ અપનાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ જોઈ રહ્યું છે કે ઉત્તર-પૂર્વ તેમના પક્ષમાં નથી જઈ રહ્યું, તેથી તેઓ આસામમાં સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ મિયા-મિયા કહીને સમુદાયોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ આવું ન કરવું જોઈએ. તેઓ પ્રતિષ્ઠિત પદ પર છે, આવી સ્થિતિમાં આવા નિવેદનો કરવા યોગ્ય નથી. અમીનુલ ઈસ્લામે સરમાના નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આટલા પછી જો કોઈ ઘટના બનશે તો તેના માટે સરકાર અને સીએમ હિમંતા બિસ્વા સરમા જવાબદાર રહેશે. તેમનું નિવેદન ભાઈચારાને નુકસાન પહોંચાડી શકે છે.

પત્રકારોના પ્રશ્નના જવાબમાં ધારાસભ્યએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમે હંગામો કરીએ, જો અમે રસ્તા પર જઈશું તો તેનો ફાયદો તેમને મળશે. જો કે, અમારું માનવું છે કે આવું ન હોવું જોઈએ. તેમણે આસામના લોકોને વધુમાં અપીલ કરી કે કેટલાક લોકો રમખાણો ભડકાવવા અને સમુદાયો વચ્ચે તિરાડ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ ધ્યાન ન આપો. તેમણે કહ્યું કે આપણે બધા સાથે રહીશું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે