૮ મે થી રાજકોટ-પોરબંદર વાયા જેતલસર સ્‍પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

0
121

ટ્રેન બપોરે ૨.૪પ કલાકે ઉપડશે, નિર્ધારિત સમયથી ૩૦ મિનીટ વહેલા

પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ અને પોરબંદર વચ્‍ચે અઠવાડિયામાં ૬ દિવસ દોડનારી ટ્રેન નંબર ૦૯પ૯પ રાજકોટ-પોરબંદર વાયા જેતલસર સ્‍પેશિયલના સમયમાં ફેરફાર કર્યો છે. ૮ મે થી આ ટ્રેન રાજકોટ સ્‍ટેશનથી ૩૦ મિનીટ વહેલી ઉપડશે. આ ટ્રેન બપોરે ૩:૧પ કલાકને બદલે હવે બપોરે ૨.૪પ કલાકે ઉપડશે. જોકે, પોરબંદર-રાજકોટ સ્‍પેશિયલ ટ્રેનના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.