Home State Gujarat Chandkheda Dosa Tragedy: ચાંદખેડા ઢોંસાકાંડ ફૂડ પોઈઝનિંગ કે સુનિયોજિત કાવતરું? હવે લાઈ...

Chandkheda Dosa Tragedy: ચાંદખેડા ઢોંસાકાંડ ફૂડ પોઈઝનિંગ કે સુનિયોજિત કાવતરું? હવે લાઈ ડિટેક્ટર ટેસ્ટથી ખુલશે રહસ્ય

0
315
Chandkheda Dosa Tragedy
Chandkheda Dosa Tragedy

Chandkheda Dosa Tragedy: ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર ‘ઢોંસાકાંડ’માં હવે એક નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટના સામાન્ય ફૂડ પોઈઝનિંગ લાગતી હતી, તેમાં હવે પોલીસને ઘરના જ સભ્યોની સંડોવણી હોવાની આશંકા પ્રબળ બની છે. સત્ય શોધવા માટે હવે પોલીસ પરિવારના ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.

Chandkheda Dosa Tragedy

Chandkheda Dosa Tragedy: તપાસના મુખ્ય અંશો:

  • પિતાનું નિવેદન શંકાના દાયરામાં: બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ હજુ પણ એ વાત પર અડગ છે કે ‘ઢોંસાનું ખીરું’ ખાવાથી જ તબિયત બગડી હતી. જોકે, પોલીસને આ દાવા પર શંકા છે.
  • સાયન્ટિફિક પુરાવા: માતા ભાવનાબેન અને પિતા વિમલના બ્લડ સેમ્પલમાં એકસરખા ઝેરી તત્વો મળી આવ્યા છે. માત્ર માત્રામાં તફાવત છે, જે કોણે કેટલો ખોરાક લીધો તેના પર નિર્ભર છે.
  • પરિવારની આર્થિક સ્થિતિ: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિમલની આર્થિક સ્થિતિ નબળી હતી. તેના ભાઈઓ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, જ્યારે વિમલને મોડલ કે યુટ્યુબર બનવું હતું પણ તેમાં તેને સફળતા મળી નહોતી.

“અમે અત્યારે પિતા કે દાદાને સીધા આરોપી માની શકીએ નહીં. ગુનો કન્ફર્મ ન થાય ત્યાં સુધી કોઈને જેલમાં ન રાખી શકાય. અમે બધી જ શક્યતાઓ તપાસી રહ્યા છીએ.” — જયેશ મકવાણા, PI, ચાંદખેડા પોલીસ

Chandkheda Dosa Tragedy: પોલીસની આગામી રણનીતિ:

પોલીસ હવે કોર્ટની મંજૂરી મેળવીને શંકાસ્પદ ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવશે. આ ઉપરાંત, 4 વર્ષની બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવો પણ બાકી છે, જે આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. હાલમાં માતા ભાવનાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સુધર્યા બાદ કડક પૂછપરછ કરવામાં આવશે.

Chandkheda Dosa Tragedy: શું હતી સમગ્ર ઘટના?

ગત 6ઠ્ઠી એપ્રિલે વિમલભાઈ સ્થાનિક ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યા હતા. તે ખાધા બાદ આખા પરિવારની તબિયત લથડી હતી, જેમાં 4 વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહાનું મોત નીપજ્યું હતું.

હવે જોવાનું એ રહેશે કે લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં પિતાનું ‘ખીરું રટણ’ સાચું ઠરે છે કે પછી કોઈ ચોંકાવનારું સત્ય બહાર આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દુબઈના એક નિર્ણયથી ભારતીય એરલાઈન્સમાં ખળભળાટ 31 મે સુધી ફ્લાઈટ પર નિયંત્રણો, કરોડોનું નુકસાન થવાની ભીતિ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે