Home Desh બાલાસોર દુર્ઘટના અંગે સેલેબ્રિટીઓએ દુઃખ વ્યકત કર્યું

બાલાસોર દુર્ઘટના અંગે સેલેબ્રિટીઓએ દુઃખ વ્યકત કર્યું

0
487

બાલાસોર દુર્ઘટના અંગે સેલેબ્રિટીઓ દ્વારા પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત થઇ ચુક્યા છે ત્યારે 900થી વધુ લોકો ઘાયલ છે.

બાલાસોર દુર્ઘટના અંગે અભિનેતા સલમાન ખાતે ટ્વીટ કરીને કહ્યું છે કે , દુર્ઘટના વિશે સાંભળીને ખરેખર દુઃખ થયું, ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે, આ કમનસીબ અકસ્માતથી રક્ષણ આપે અને પરિવારજનોને અને ઘાયલોને શક્તિ આપે.

સોનુ સૂદે પણ બાલાસોર દુર્ઘટના અંગે ટ્વીટ કર્યું છે.

આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જુનિયર એનટીઆરે કહ્યું છે કે, દુ:ખદ ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો અને તેમના પ્રિયજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. મારા વિચારો આ વિનાશક ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. આ મુશ્કેલ સમયમાં શક્તિ અને ટેકો તેમની આસપાસ રહે.

આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ક્રિકેટર વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરીને કોહલીએ ઓડિશામાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. મારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો માટે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે.

ગૌતમ ગંભીરે ઓડિશામાં જાનહાનિથી તબાહીથી પીડિત પરિવારને ભગવાન શક્તિ આપે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.

આપને જણાવી દઈએ કે આ ઘટનાનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સાથળે પહોંચ્યા હતા. જે બાદ વડાપ્રધાને ઘાયલો સાથે હોસ્પિટલમાં મુલાકત કરી હતી. આ બાદ વડાપ્રધાન આ ઘટના અંગે ભાવુક થયા હતા અને વડાપ્રધાને કહ્યું કે આ કેસમાં પુરતી તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સરકાર 50 હજારની સહાય કરશે. જયારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. અને જેતે વિભાગને સહાય પૂરી પાડવા માટે પણ સૂચન અપાયા છે.

એનડીઆરએફની સાત ટીમો અને ઓડીઆરએફની પાંચ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી હતી. હાલમાં ગંભીર રીતે ઘાયલ લોકોની સંખ્યા 50થી વધુ છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતાઓ છે. આ રૂટની 43 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી જ્યારે 43 ટ્રેનોના રૂટ બદલવામાં અવાય હતા.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે