Home Videsh વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત

વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત

0
659
વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત
વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના,50થી વધુ લોકોના મોત

વિયેતનામની રાજધાની હનોઈમાં મોટી દુર્ઘટના

9 માળના એપાર્ટમેન્ટમાં આગ લાગી

દુર્ઘટનામાં 50થી વધુ લોકોના મોત

વિયેતનામની રાજધાની હનોઈના એક એપાર્ટમેન્ટ બ્લોકમાં બુધવાર (13 સપ્ટેમ્બર)ના રોજ મધ્યરાત્રિએ સ્થાનિક સમયાનુસાર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 50 લોકોના મોત થયા છે. આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.આ દુર્ઘટનામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં   છે  

વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારમાં એક સાંકડી ગલીમાં આવેલી હતી. જો કે, આગ લાગ્યા બાદ રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે લગભગ 70 લોકોને બ્લોકમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 54 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પીડિતોમાં ઘણા બાળકો પણ સામેલ છે

વિયેતનામની રાજધાની હનોઈમાં એક ઈમારતમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. રાત્રે લાગેલી આગ બાદ આજે દિવસ દરમિયાન બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. એએફપીના અહેવાલો અનુસાર, બિલ્ડિંગની નાની બાલ્કનીઓ લોખંડથી ઘેરાયેલી હતી, એપાર્ટમેન્ટ બ્લોકમાં માત્ર એક જ બહાર નીકળો હતો અને કોઈ ઇમરજન્સી દરવાજો નહોતો.

આ આગાઉ પણ બની ચુકી છે ભીષણ આગ લાગવાની ઘટનાઓ

વિયેતનામમાં એક વર્ષ પહેલા, હો ચી મિન્હ સિટીના વેપારી કેન્દ્રમાં ત્રણ માળના કરાઓકે બારમાં આગમાં 32 લોકોના મોત થયા હતા. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ બાર માલિકની નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં પણ હો ચિન મિન્હ સિટીના એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા હતા. આ પહેલા 2016માં હનોઈમાં કરાઓકે બિલ્ડિંગમાં આગ લાગવાથી 13 લોકોના મોત થયા હતા.

વાંચો અહીં સનાતન ધર્મ અંગે નિવેદનનો વિવાદ ઉધયનિધિ સ્ટાલિન સામે વધુ એક ફરિયાદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે