હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી થયો છે. જેના કારણે પાણીજન્ય રોગ ચાળો ફેલાવવાની શક્યતાઓ પણ વધી છે. આ અહેવાલમાં જાણીએ પાણીજન્ય રોગો વિષે…
પાણીજન્ય રોગો :
- ડાયેરિયા
- કોલેરા
- મરડો
- મલેરિયા
- ડેન્ગ્યું
- કૃમિ જેવા રોગ થાય છે…
વરસાદના પાણીમાં પલળવાથી પણ રોગો થઇ શકે છે.
- આંખોના રોગ
- ચામડીના રોગ
- હડકવા જેવી તકલીફો
રોગો વિષે વિશેષ માહિતી મેળવીએ :
- ડાયેરિયા એટલે શું ?
વારંવાર મળ ત્યાગ કરવો પડે તેને ડાયેરિયા કહેવામાં આવે છે. અથવા તો પાતળો મળ ત્યાગ થાય તેને પણ ડાયેરિયા કહી શકીએ છીએ. પાતળા ડાયેરિયામાં જળનો ભાગ વધારે હોય છે. જે થોડા-થોડા સમયે જવું પડે છે.
- કોલેરા એટલે શું ?
કોલેરાએ આંતરડાનો ચેપ છે. કોલેરા દૂષિત ખોરાક અને પાણીના કારણે ફેલાય છે.કોલેરામાં વ્યક્તિના શરીરનો પ્રવાહી ઘટી જાય છે. વ્યક્તિને કોલેરામાં ઝાડા,ઉલટીની તકલીફ થાય છે.
- ડેન્ગ્યું એટલે શું ?
ડેન્ગ્યુંએ તાવનો જ એક પ્રકાર છે. ડેન્ગ્યુંમાં વ્યક્તિને સામાન્ય રીતે તાવ રહે છે. તે ઉપરાંત બીજા પણ ઘણી તકલીફો થાય છે. વ્યક્તિને સાંધા દુખી શકે છે. માથાનો દુઃખાવો થઇ શકે છે.
પાણીજન્ય રોગ ની સારવાર કરવી છે જરૂરી…
પાણીજન્ય રોગ થી બચવા રાખો નીચે મુજબની કાળજી
- વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેની કાળજી રાખવી
- મચ્છરોનો ઉપદ્રવ્ય ન થાય તેવા પગલા ભરવા
- સેફટી રાખવી ખુબ જરૂરી છે
- હળવો ખોરાક લેવો જોઈએ
ફેસબુક પર પણ આપ જોઈ શકો છો આ અંગે કાર્યક્રમ
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.