કાશ્‍મીરના અંતરીયાળ ભાગોમાંથી સેના ન હટાવી શકાય : ઔજાલા

0
44

જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદનો સંપૂર્ણપણે ખાત્મો કરવા ભારતીય સેના મક્કમ છે. આ અંગે સેનાની ૧૫મી કોરના GOC લેફ્ટનન્ટ જનરલ ADS ઔજાલાએ જણાવ્યું છે કે, “અમારૂ પુરૂ જોર કાશ્‍મીરની સ્‍થિતિની સુંદર તસ્વીર રજૂ કરવા ઉપર હતું. સ્‍થિતિ પૂર્ણ રીતે કાબુમાં છે અને તેમાં સેનાની અહમ ભૂમિકા છે. ૩૪ વર્ષો બાદ આતંકીઓની સંખ્‍યાને ૫૦થી પણ ઓછી કરવામાં સેના સફળ રહેલ છે. બધું નિયંત્રણમાં છે, પરંતુ કાશ્‍મીરના અંતરીયાળ ભાગોમાંથી સેના ન હટાવી શકાય. દક્ષિણ કાશ્‍મીરમાં સતત આતંકીઓ પડકાર બની રહે છે પણ હવે તેઓને ખદેડવામાં સફળ રહ્યા છે.”