ઓડીશામાં વધુ એક ટ્રેન અકસ્માત

0
45

ઓડીશામાં વધુ ર્ક ટ્રેન અકસ્માતના સમાચાર મળી રહ્યા છે , માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો છે. આ માલગાડી ચૂનાના પથ્થરો ભરેલી હતી ત્યારે પાટા પરથી ઉતરી પડી છે. હાલ કોઈમ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. પોલીસ ઘટના સ્થળ પર પહોચી છે.

અહી ઉલ્લેખનીય છેકે બાલાસૌર ટ્રેન દુર્ઘટનામાં ૨૮૮ જેટલા મુસાફરોના મોંત થયા છે અને ૯૦૦ જેટલા ઘાયલ મુસાફરો સારવાર હેઠળ છે ત્રણ ટ્રેન વછે ગમખ્વાર અકસ્માત બાદ દેશ અને દુનિયાના લોકો તમામ મૃતકો માટે પ્રાર્થના કરી રહ્યા છે . વિપક્ષ રેલ્વે મંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે રાત્રે 7 જેટલી ટ્રેનોની અવર જવર ટ્રેક પર થઇ તે નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ તેમને જણાવ્યું કે ઘાયલ મુસાફરો અને તેમના પરિવાર સુશી પહોંચે તે અમારે માટે પ્રાથમિક કાર્ય છે આ વાત કરતા તેઓ ભાવુક થયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ