AIRINDIA : 300 મુસાફરોના જીવ પર સંકટ
AIRINDIA :ઈમરજન્સી લેન્ડિંગ, 7 મુસાફરો બીમાર, એકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો
એડિસ અબાબાથી મુંબઈ આવી રહેલી ઇથોપિયન એરલાઇન્સની બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારે તકનીકી ખામી સર્જાઈ હતી. શુક્રવારે રાત્રે 1:42 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાનમાં 300 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. 33,000 ફૂટની ઊંચાઈએ અરબી સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે કેબિનનું હવાકાશ દબાણ અચાનક ઘટી ગયું હતું (ડિપ્રેસરાઇઝેશન).

AIRINDIA:શું બન્યું હતું?
વિમાનમાં અચાનક હવાનું દબાણ ઘટતાં પાયલટે તરત જ વિમાનને નીચી ઊંચાઈએ ઉતારવાનું શરૂ કર્યું. સફળ ઈમરજન્સી લેન્ડિંગ બાદ 7 મુસાફરો ડિપ્રેસરાઇઝેશનના કારણે શારીરિક તકલીફ અનુભવી રહ્યા હતા. તેમને એરપોર્ટ મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી, જેમાંથી એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
AIRINDIA:ડ્રીમલાઇનર વિમાન સામે વધતી ચિંતાઓ
AIR INDIA :આ ઘટના એવા સમયમાં બની છે જ્યારે બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની સલામતી અંગે વૈશ્વિક સ્તરે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ એર ઇન્ડિયાની હીથ્રો-મુંબઈ ફ્લાઇટમાં પણ ડિપ્રેસરાઇઝેશનની ઘટના થઈ હતી. વધુમાં, થોડા સમય પહેલાં અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનનો વિસ્ફોટક અકસ્માત થયો હતો જેમાં 241 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયા હતા.

AIRINDIA : મિડ-એર ડિપ્રેસરાઇઝેશન શું છે?
જ્યારે વિમાનના કેબિનનું હવાનું દબાણ અચાનક ઘટી જાય છે ત્યારે તે સ્થિતિ મિડ-એર ડિપ્રેસરાઇઝેશન કહેવાય છે. પરિણામે મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, ઉબકા જેવી તકલીફો થઈ શકે છે. આ પ્રકારની ઘટનાઓમાં પાયલટને વિમાનને ઝડપથી નીચી ઊંચાઈએ લાવવું પડતું હોય છે.
AIR INDIA : નિષ્ણાતોની કાર્યવાહી અને તપાસ
અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. બોઇંગ 787 વિમાનના જાળવણી અને સલામતી પ્રોટોકોલ અંગે નવા માપદંડો બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે