Home State Gujarat Ahmedabad Tragedy:અમદાવાદમાં ડ્રેનેજ કામે લીધી જિંદગી, મકાન પડતાં મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

Ahmedabad Tragedy:અમદાવાદમાં ડ્રેનેજ કામે લીધી જિંદગી, મકાન પડતાં મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

0
349
Tragedy
Tragedy

Ahmedabad Tragedy: અમદાવાદના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલી નવતાડની પોળમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક એક જૂનું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

Ahmedabad Tragedy: ફાયર બ્રિગેડે ત્રણ લોકોને બહાર કાઢ્યા

ફાયર વિભાગની બે ટીમોએ ગણતરીની મિનિટોમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા અને બે પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabad Tragedy

Ahmedabad Tragedy: મહિલાનું મોત, બે લોકો સારવાર હેઠળ

ધારાસભ્ય કૌશિક જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન પુષ્પાબેન પંચાલ (ઉંમર 62)નું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે એક મજૂર અને અન્ય બે ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. મકાન ધરાશાયી થતાં AMCના બે મજૂર પણ ઇજાગ્રસ્ત થયા છે.

Ahmedabad Tragedy: ડ્રેનેજ કામગીરીને કારણે મકાન પડ્યું હોવાનો આક્ષેપ

સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદકામ અને ડ્રિલિંગની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન મકાનની પાયાની માટી ખસી જતાં મકાન અચાનક ધરાશાયી થયું છે. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાને AMCની ગંભીર બેદરકારી ગણાવી છે.

Ahmedabad Tragedy

જૂના અને જર્જરીત મકાનો અંગે ચિંતા

ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે, કોટ વિસ્તારના મોટા ભાગના મકાનો 100 વર્ષથી વધુ જૂના અને જર્જરીત હાલતમાં છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદોને કારણે રિપેરિંગ થતું નથી. તેમણે કોર્પોરેશનને અપીલ કરી હતી કે, જે મકાન રિપેર કરાવવા માગે તેમને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

પોલીસ અને AMCની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન, ડીસીપી ઝોન-2 ભરત રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. AMCની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે, જ્યારે પોલીસે સુરક્ષાના પગલાંરૂપે પોળમાં લોકોની અવરજવર બંધ કરી છે.

આ પણ વાંચો :Head Constable Suicide Case: હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે અંતે PSI સામે ફરિયાદ: કરણીસેનાના અલ્ટીમેટમ પહેલા કાર્યવાહી, પોલીસ વિભાગમાં ખળભળાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે