Home State Gujarat Tragedy at Girnar: ગિરનારમાં સિંહના હુમલામાં માસૂમનું મોત: એકના એક પુત્રની અંતિમયાત્રા...

Tragedy at Girnar: ગિરનારમાં સિંહના હુમલામાં માસૂમનું મોત: એકના એક પુત્રની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું, વન વિભાગ સામે રોષ

0
146

Tragedy at Girnar: ખુશીની સફર માતમમાં ફેરવાઈ જવાની એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના 12 વર્ષના માસૂમ મયુરસિંહનો મૃતદેહ આજે વહેલી સવારે વતન લાવવામાં આવ્યો હતો. એકના એક દીકરાનો નશ્વર દેહ ગામમાં પહોંચતા જ પરિવાર સહિત સમગ્ર પંથકમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. માસૂમ બાળકની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

Tragedy at Girnar: યાત્રા બની ગઈ જીવનની છેલ્લી સફર

Tragedy at Girnar

મહેમદાવાદના મોડજ ગામથી એક પરિવાર હોંશે-હોંશે ગિરનારની યાત્રાએ ગયો હતો. પરિવારને સહેજ પણ અંદાજ નહોતો કે આ પ્રવાસ તેમના જીવનનો સૌથી મોટો આઘાત બની જશે. યાત્રા દરમિયાન સવારે આશરે પોણા છ વાગ્યાની આસપાસ એક સિંહે પાછળથી અચાનક હુમલો કરીને 12 વર્ષના મયુરસિંહને જંગલ તરફ ખેંચી લીધો હતો. ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો જ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Tragedy at Girnar: ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આપી સાંત્વના

Tragedy at Girnar

આ કાળજું કંપાવી દે તેવી ઘટનાની જાણ થતાં જ પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તાત્કાલિક મોડજ ગામે મૃતક બાળકના ઘરે પહોંચ્યા હતા. તેઓ બાળકની સ્મશાનયાત્રામાં સહભાગી થયા હતા અને શોકગ્રસ્ત પરિવારને મળીને અસહ્ય દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.

ધારાસભ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ઘટના બની ત્યારથી જ તેઓ ખેડા અને જૂનાગઢના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પીડિત પરિવારને નિયમોનુસારની સરકારી નાણાંકીય સહાય વહેલી તકે મળી રહે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે.”

Tragedy at Girnar: વન વિભાગની બેદરકારી સામે ગ્રામજનોનો ભારે રોષ

Tragedy at Girnar

આ ઘટનાને પગલે પરિવારના પાડોશી અને પ્રત્યક્ષદર્શી અર્જુનસિંહ ચૌહાણે વન વિભાગ (Forest Department)ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, “સિંહ છેલ્લા ત્રણ દિવસથી તે જ વિસ્તારમાં આંટાફેરા કરતો હતો, છતાં ફોરેસ્ટ વિભાગે કોઈ દરકાર લીધી નહોતી. ઘટના બની ત્યારે પણ વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ સમયસર મદદ માટે ન આવ્યા. વન વિભાગની આ ઘોર બેદરકારીના કારણે જ આજે એક માસૂમનો ભોગ લેવાયો છે.”

હાલમાં માસૂમ મયુરસિંહના મોતથી મોડજ ગામમાં ચૂલો પણ સળગ્યો નથી અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે.

આ પણ વાંચો :અમદાવાદ હવે વધુ હરિયાળું: અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, એક જ દિવસમાં 1.25 કરોડ વૃક્ષારોપણનો ભગીરથ સંકલ્પ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે