તોફાની તત્વો સામે થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી 

0
78

વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે હર્ષ સંધવીનું નિવેદન સામે આવ્યું છે.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શોભાયાત્રા પર પથ્થરમારો એ ગંભીર બાબત છે. જે લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે અપરાધી વડોદરા બહાર ભાગેલા આરોપીઓને પણ શોધીને પગલા લેવામાં આવશે. વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. છે કે, લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. મહત્વનું છે કે, પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરી હોઇ તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તરફ ગૃહવિભાગનાં નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ 2 એડિશનલ પોલીસ કમિશનર રહેશે.