માં અંબાને સમર્પિત આધ્યાત્મિક આલ્બમ ‘પંચવી’ નવરાત્રી સમયે લોન્ચ થશે

0
52
માં અંબાને સમર્પિત આધ્યાત્મિક આલ્બમ ‘પંચવી’ નવરાત્રી સમયે લોન્ચ થશે
માં અંબાને સમર્પિત આધ્યાત્મિક આલ્બમ ‘પંચવી’ નવરાત્રી સમયે લોન્ચ થશે

નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજન થવાણીની સંગીત સભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ ગયોછે.
પદ્મશ્રીહરિહરન, પદ્મશ્રીશંકરમહાદેવન, ઓસમાણમીર, નિશાઉપાધ્યાય, ઉમેશબારોટ, યાશિતાશર્મા, માનસીપારેખગોહિલ, જાહ્નવીશ્રીમાંકર, આમિરમીરઅનેપાર્થિવ ગોહિલ જેવા લબ્ધપ્રતિષ્ઠિત ગાયકો દ્વારાસૂરબધ્ધ કરવામાંઆવેલું આલ્બમ ‘પંચવી’ માઅંબાના દૈવી આશિર્વાદને રજૂ કરતો સંગીતમય માસ્ટરપીસ છે. આ રોમાંચિત કરી દેતું આલ્બમ ‘પંચવી’ પરંપરાગત સંગીતના સીમાડાને પાર કરીને પરિવર્તનકારી અનુભૂતિ કરાવે છે.‘પંચવી’ આલ્બમના લોન્ચ પ્રસંગે ધનરાજ નથવાણીએ જણાવ્યુંહતુંકે, “આગામીનવરાત્રિના તહેવારોની મોસમને ધ્યાને લેતાં પંચવીના વિમોચનનો સમયઆનાથી વધારે યોગ્ય ના હોઇ શકે. સુપ્રસિધ્ધગાયકોના પ્રદાન સાથે ખૂબજ કાળજીપૂર્વક તૈયારકરવામાં આવેલું આલ્બમ આધ્યાત્મિક શાંતિ શોધી રહેલા લોકો માટે શાંતિમય સ્વર્ગના દરવાજા ખોલી આપેછે. હું દૃઢપણે માનુંછુંકે આઆલ્બમ સાંભળનારના હૃદયને સ્પર્શી જશે, તેમને મા અંબાના દૈવીઆશિર્વાદની નજીક લાવશે અને તેમની આધ્યાત્મિક યાત્રાના માર્ગના દરવાજા ખોલશે

WhatsApp Image 2023 10 11 at 18.07.31 1

આ આલ્બમની વાત કરીએ તો

  1. વિશ્વંભરીસ્તુતિ

ખ્યાતનામ ગાયક પદ્મશ્રીહરિહરને સમગ્રબ્રહ્માંડમાં દૈવીઊર્જાનો સંચય કરી દેનારી સ્તુતિ, “વિશ્વંભરીસ્તુતિ”માંપોતાનો ભાવપૂર્ણ સ્વર આપ્યો છે.

2 ખમ્માખમ્મા– બહુચર માતાની આરતી

“ખમ્માખમ્મા” એ ઉમેશબારોટ અને યાશિતાશર્માના કર્ણપ્રિય અવાજમાં ગવાયેલી દૈવી આરતી છે, જેમાંસંગીત નિશીથ મહેતાએ આપ્યુંછે. આગીત તમને દૈવીશક્તિની આરાધનામાં ગરકાવ થઈને સંગીત તથા ગીતના સુમધુરમિશ્રણમાં તલ્લીન બનવા આમંત્રિત કરેછે. આ આરતી પંચવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ અને ઇન્ટાગ્રામ પર ઓક્ટોબર 13, 2023ના રોજ રજૂ થશે.

3 જયઆદ્યાશક્તિ

શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારી આરતી “જયઆદ્યાશક્તિ”ના દૈવીઅહેસાસની અનુભૂતિ આપણને આપણી અંદરની પવિત્ર ઊર્જાનો અહેસાસ કરાવેછે. શંકરમહાદેવનના અભિભૂત કરી દેતાસ્વરમાં આઆરતી તમને તમારા અંતરઆત્માનો પરિચય કરાવે છે.આ આરતી પંચવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ અને ઇન્ટાગ્રામ પર ઓક્ટોબર 15, 2023ના રોજ રજૂ થશે.

4 અંબેતુહૈજગદંબેકાલી

“અંબે તુ હૈ જગદંબે કાલી”નું આસુંદર વર્ઝન એપ્રતિભાશાળી જાહ્વવીશ્રીમાંકર, માનસી પારેખગોહિલ, નિશા ઉપાધ્યાય, ઓસમાણમીર, આમિરમીરઅનેપાર્થિવ ગોહિલના સહિયારા પ્રયાસોથી તૈયાર થયું છે. આસુંદર સંગીતમય રચના આધ્યાત્મિકતાને પ્રેરિતકરે છે.પંચવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ અને ઇન્ટાગ્રામ પર ઓક્ટોબર 17, 2023ના રોજ રજૂ થશે. અગાઉ દ્વારકા નીવણ કહેલી દાસ્તાનઆધારિત ‘રાજાધિરાજ’ નામના આલ્બમ તથા કોફીટેબલબુકને પ્રસ્તુતકરનારા નથવાણી આધ્યાત્મિક સમુદાયમાં જાણીતી હસ્તીછે અને તેમના આલ્બમ’પંચવી ‘માંતેમનાભક્તિભાવની લાગણીને બખૂબીવણી લેવામાંઆવીછે. આ આલ્બમ ધાર્મિક પરંપરાઓની જાળવણી તથાતેના પ્રચાર-પ્રસાર પ્રત્યે તેમના અથાગ સમર્પણના પ્રતિક સમાન છે.


      Discover more from VR LIVE GUJARAT: Gujarat News

      Subscribe to get the latest posts to your email.