HomeDeshSeva Sankalp Abhiyan: PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ: ભાજપ યોજશે ‘સેવા...

Seva Sankalp Abhiyan: PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ: ભાજપ યોજશે ‘સેવા સંકલ્પ અભિયાન’

Seva Sankalp Abhiyan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન આવવાનું છે. 7 ઓક્ટોબર 2026ના રોજ નરેન્દ્ર મોદીને જાહેર પદ પર 25 વર્ષ પૂર્ણ થશે. વર્ષ 2001માં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. આ અવસરને યાદગાર બનાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં એક મહિના સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Seva Sankalp Abhiyan: 17 સપ્ટેમ્બરથી અભિયાનનો પ્રારંભ

Seva Sankalp Abhiyan

આ વિશેષ અભિયાનની શરૂઆત 17 સપ્ટેમ્બર, PM મોદીના જન્મદિવસથી થશે અને 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવા અને જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાશે.

અભિયાન દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય સંબંધિત કાર્યક્રમો તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Seva Sankalp Abhiyan: સેવા અને જનકલ્યાણ પર ભાર

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં રચનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજવાની યોજના છે. રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય જાગૃતિ જેવા કાર્યક્રમો દ્વારા સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

ભાજપ દ્વારા આ અભિયાનને માત્ર ઉજવણી પૂરતું નહીં પરંતુ સેવા અને જનસંપર્ક સાથે જોડાયેલા કાર્યક્રમો તરીકે આગળ વધારવામાં આવશે.

Seva Sankalp Abhiyan: 25 વર્ષના વિકાસ કાર્યોની રજૂઆત

આ અભિયાન દરમિયાન ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન દરમિયાન થયેલા વિકાસ કાર્યો, સુશાસન અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

દેશના છેવાડાના વિસ્તારો અને નાગરિકો સુધી સરકારની યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી પહોંચાડવા માટે પક્ષના સંગઠનને પણ સક્રિય કરવામાં આવશે.

Seva Sankalp Abhiyan

રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમોની રૂપરેખા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા આ અભિયાનની રૂપરેખા જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આગામી એક મહિના દરમિયાન દેશભરમાં અલગ-અલગ પ્રકારની સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

આ રીતે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા સંકલ્પ અભિયાન દ્વારા ભાજપ નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષની પૂર્ણતાને સેવા અને જનકલ્યાણની પ્રવૃત્તિઓ સાથે જોડશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતના સારોલીમાં અગ્નિકાંડ: શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટની અનેક દુકાનો બળીને ખાખ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments