HomeGujaratSurat Doctor Death Case: સુરત નવી સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત મામલે રેગિંગનો...

Surat Doctor Death Case: સુરત નવી સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત મામલે રેગિંગનો ખુલાસો, 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

#SuratNews #SuratCivilHospital #NewCivilHospital #DoctorDeathCase #RaggingCase #RaggingInMedicalCollege #MedicalCollege

Surat Doctor Death Case:સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના બનાવમાં તપાસ દરમિયાન રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં હર્ષ પંડ્યાને ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે કોલેજ તંત્રએ ચારેય સિનિયર ડૉક્ટરોને છ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

Surat Doctor Death Case:9 ઓગસ્ટે હોસ્ટેલમાં હર્ષનો આપઘાત

Surat Doctor Death Case:

મળતી માહિતી મુજબ, સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટે હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં જ અરવલ્લીના મોડાસાથી તેમના પિતા, પિતરાઈ ભાઈ સહિતના પરિવારજનો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ઘટના બાદ રેસિડેન્ટ ડૉક્ટરો સાથે રેગિંગ થતું હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. હર્ષના પરિવારજનોએ પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતા માનસિક ત્રાસ અને દબાણને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા.

Surat Doctor Death Case:હર્ષની થોડા મહિના પહેલાં જ સગાઈ થઈ હતી

હર્ષના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યાના જણાવ્યા મુજબ, હર્ષ છેલ્લા છ મહિનાથી પીજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેઓએ હર્ષને શાંત, જવાબદાર અને પ્રામાણિક સ્વભાવનો ગણાવ્યો હતો. હર્ષની થોડા મહિના પહેલાં જ સગાઈ થઈ હતી. તેણે MBBSનો અભ્યાસ ફિલિપાઈન્સમાંથી પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ સારી નોકરી પણ કરી હતી.

હર્ષના પિતા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-1 M.S. જનરલ સર્જન તરીકે નિવૃત્ત થયા છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે હર્ષના સાથી વિદ્યાર્થીઓ અને અન્ય સહકર્મીઓના નિવેદનોમાં સિનિયર વિદ્યાર્થીઓના વર્તન તથા માનસિક ત્રાસ અંગેની વિગતો સામે આવી રહી હતી.

Surat Doctor Death Case:પરિવારની માગ બાદ રિ-પીએમ અને FSL તપાસ

Surat Doctor Death Case:

પરિવારજનોએ શરૂઆતમાં આઘાતની સ્થિતિમાં પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી હતી. જોકે બાદમાં ઘટનાને લઈને શંકા ઊભી થતાં ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ રજૂઆત કરી રિ-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી હતી. હાલ પોસ્ટમોર્ટમ તથા FSL સંબંધિત તપાસની પ્રક્રિયા ચાલી રહી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

અગાઉની ઘટનાઓને લઈને પણ પરિવારના આક્ષેપ

Surat Doctor Death Case:

મૃતકના સંબંધી શૈલેષ પાઠકે હોસ્પિટલ તંત્ર સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરો પર કામના ભારણ અને માનસિક દબાણ અંગેની ઘટનાઓ સામે આવી હતી. તેમણે અંકિત નામના એક તબીબનું ઉદાહરણ આપીને યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પરિવારજનોએ વધુમાં દાવો કર્યો હતો કે હર્ષના સાથી વિદ્યાર્થીઓએ અગાઉ પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન અને હેરાનગતિ અંગે HOD સમક્ષ રજૂઆત કરી હતી. જોકે આ ફરિયાદો અંગે પૂરતી કાર્યવાહી ન થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચાર સિનિયર ડૉક્ટરો સામે કાર્યવાહી

હર્ષ પંડ્યાના આપઘાત મામલે રેગિંગના આક્ષેપો સામે આવ્યા બાદ કોલેજ તંત્ર દ્વારા ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચારેયને છ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ ટીચિંગ પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર મામલે પોલીસ, કોલેજ તંત્ર, ફોરેન્સિક ટીમ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હર્ષ પંડ્યાના મૃત્યુ પાછળના ચોક્કસ કારણો અને રેગિંગની ભૂમિકા અંગે અંતિમ હકીકત તપાસના અહેવાલો બાદ જ સ્પષ્ટ થશે. પરિવારજનોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં અન્ય રેસિડેન્ટ ડૉક્ટરોને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો : ‘જો ખેલેગા, વહીં ખીલેગા’,  કોમનવેલ્થ ગેમ્સ 2026ના વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત, શેર કરી ખાસ રીલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments