Home State Gujarat Balasinor Pollution Crisis: TSDF સાઈટના પ્રદૂષણ સામે 29 ગામના લોકોનો આક્રોશ, GPCB...

Balasinor Pollution Crisis: TSDF સાઈટના પ્રદૂષણ સામે 29 ગામના લોકોનો આક્રોશ, GPCB કચેરીએ પહોંચી નોંધાવ્યો વિરોધ

0
126
Balasinor Pollution Crisis
Balasinor Pollution Crisis

Balasinor Pollution Crisis: મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલી TSDF (Treatment, Storage, and Disposal Facility) સાઈટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણથી ત્રસ્ત આસપાસના 29 ગામના ગ્રામજનો આજે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કચેરીએ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પોતાની સાથે પ્રદૂષિત પાણીની બોટલો ભરીને લાવીને તંત્ર સામે ગંભીર પુરાવા રજૂ કર્યા હતા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.

Balasinor Pollution Crisis: શું છે સમગ્ર મામલો?

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ દ્વારા સંચાલિત આ સાઈટમાંથી નીકળતા ઝેરી કેમિકલયુક્ત પાણીને કારણે જમીયતપુરા સહિતના 29 ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

Balasinor Pollution Crisis: ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા મુખ્ય આક્ષેપો:

Balasinor Pollution Crisis
  • ભૂગર્ભ જળ પ્રદૂષિત: ગામના કૂવા અને બોરવેલનું પાણી પીવાલાયક રહ્યું નથી, જેના કારણે ગ્રામજનો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
  • ખેતીની જમીન બંજર: કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ફરી વળતા જમીન ફળદ્રુપતા ગુમાવી રહી છે અને બંજર બની રહી છે.
  • પશુપાલન પર અસર: ઝેરી પાણી પીવાથી પશુઓમાં પણ વિવિધ રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેના કારણે પશુપાલકોની આજીવિકા છીનવાઈ રહી છે.
  • તંત્રની બેદરકારી: કંપનીની મનમાની અને GPCBની નિષ્ક્રિયતાને કારણે આ પ્રદૂષણ બેકાબૂ બન્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

Balasinor Pollution Crisis: ગ્રામજનો અને આગેવાનોનો આક્રોશ

આ રજૂઆત દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ગ્રામજનોની સાથે જોડાયા હતા અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. રજૂઆતકર્તા રામસિંહ પરમાર અને ચન્દ્રસિંહ ડાભીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો તાત્કાલિક આ પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.”

વધુ સમાચાર વાંચવા માટે નહીં ક્લિક કરો:  પોળો ફોરેસ્ટમાં ગોઝારો રવિવાર, હરણાવ નદીમાં ડૂબવાથી ટીંટોઈના બે યુવકોના મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે