Amarnath Yatra Update: હિન્દુ ધર્મના સૌથી પવિત્ર પ્રતિકોમાંના એક એવા ભગવાન અમરનાથની ગુફામાંથી શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. 57 દિવસ સુધી ચાલનારી પવિત્ર અમરનાથ યાત્રાની શરૂઆતના માત્ર 3 જ દિવસમાં પવિત્ર હિમ શિવલિંગ 90% જેટલું ઓગળી ગયું છે. સોમવારે સામે આવેલી તસવીરો અનુસાર, હવે બાબા બરફાનીનું કદ માત્ર એક ફૂટ જ બાકી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે એ સવાલ ઊભો થયો છે કે 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રામાં બાકીના શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન કરી શકશે કે કેમ?

Amarnath Yatra Update: મે મહિનામાં 7 ફૂટનું હતું શિવલિંગ, હવે 1 ફૂટનું જ બચ્યું
ગયા મે મહિનામાં (23 મે) જ્યારે BSFના જવાનોએ તસવીરો જાહેર કરી ત્યારે શિવલિંગનું કદ આશરે 7 ફૂટ જેટલું ભવ્ય હતું. ત્યારબાદ 29 જૂને પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગ 5 ફૂટથી વધુ ઊંચું હતું. પરંતુ, સતત બદલાતા હવામાન અને ભક્તોની ભારે ભીડના કારણે તાપમાન વધતાં 6 જુલાઈએ સામે આવેલી તસવીરોમાં હિમલિંગ લગભગ 90% ગાયબ થઈ ચૂક્યું છે.

Amarnath Yatra Update: યાત્રીઓનો ભારે ધસારો: ગયા વર્ષ કરતાં 18.6% નો વધારો
હિમલિંગ ઓગળવા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો થયો નથી. યાત્રાના પ્રથમ 3 દિવસમાં જ 56 હજારથી વધુ ભક્તો બાબા બરફાનીના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે, જે ગયા વર્ષના શરૂઆતના દિવસો (47,972 યાત્રીઓ) કરતાં 18.6% વધુ છે. આ વર્ષે કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
Amarnath Yatra Update: 9 જુલાઈ સુધી સ્લોટ ફૂલ, વગર રજીસ્ટ્રેશને ન આવવા પ્રશાસનની ચેતવણી
જમ્મુ-કાશ્મીર પ્રવાસને વધતી ભીડને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે 9 જુલાઈ સુધીના તમામ રજીસ્ટ્રેશન સ્લોટ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. આથી, રજીસ્ટ્રેશન વિના આવી રહેલા યાત્રીકોને પોતાની યાત્રા થોડા દિવસ મુલતવી રાખવા અપીલ કરાઈ છે. જો કોઈ રજીસ્ટ્રેશન વગર બાલતાલ કે પહેલગામ રૂટ પર આગળ વધશે તો તેમને ચેકપોઈન્ટ પર જ રોકી દેવામાં આવશે.
Amarnath Yatra Update: કેવી રીતે બને છે આ કુદરતી હિમ શિવલિંગ?
અમરનાથનું શિવલિંગ કોઈ કૃત્રિમ બરફથી નથી બનતું, પણ તે એક કુદરતી ‘આઇસ સ્ટેલેગ્માઇટ’ (Ice Stalagmite) છે. શિયાળા અને વસંત ઋતુ દરમિયાન ગુફાની છત પરથી ટપકતું પાણી થીજી જવાથી આ શિવલિંગ આપોઆપ આકાર લે છે. હવામાન, ગુફાની અંદરનું તાપમાન અને પાણીની ઉપલબ્ધતાના આધારે દર વર્ષે તેનો આકાર અને કદ બદલાય છે.
Amarnath Yatra Update: FAQ: શિવલિંગ ઓગળવાથી યાત્રા પર શું અસર થશે?
- સવાલ: શું શિવલિંગ ઓગળી જવાથી યાત્રા રોકી દેવાશે? જવાબ: ના, પ્રશાસન દ્વારા યાત્રા રોકવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી. યાત્રા નિયમ મુજબ બંને રૂટ પર ચાલુ જ રહેશે.
- સવાલ: શું શિવલિંગ ફરી મોટું બની શકે? જવાબ: તેની શક્યતા બહુ ઓછી છે. જો ગુફા વિસ્તારમાં ભારે બરફવર્ષા થાય અને તાપમાન શૂન્યથી ઘણું નીચે જાય તો જ આવું થઈ શકે.
- સવાલ: યાત્રા ક્યારે પૂરી થશે અને કયા રૂટ છે? જવાબ: યાત્રા 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. યાત્રા માટે 48 કિમીનો સરળ નૂનવાન-પહેલગામ રૂટ અને 14 કિમીનો ટૂંકો પણ મુશ્કેલ બાલતાલ રૂટ કાર્યરત છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સાંતલપુરના ડાલડી ગામે ખેતરમાંથી ઝડપાયો લીલા ગાંજાનો મોટો જથ્થો, SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી




