HomeDeshRift in Koli Community: કોળી સમાજમાં ‘એક સાધ્ય, બે ફાંટા’;દિલ્હીમાં બે અલગ-અલગ...

Rift in Koli Community: કોળી સમાજમાં ‘એક સાધ્ય, બે ફાંટા’;દિલ્હીમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનની જાહેરાતથી વિવાદ, આંતરિક જૂથવાદ ચરમસીમાએ

Rift in Koli Community: ગુજરાત અને દેશના રાજકારણમાં મોટું પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં રાષ્ટ્રીય સ્તરના બે અલગ-અલગ અધિવેશનોની જાહેરાત થતાં જ ભારે ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે. એક જ સમાજના દિગ્ગજ આગેવાનોએ પ્રતિષ્ઠાના જંગ સમાન આ લડાઈમાં દિલ્હી ખાતે અલગ-અલગ તારીખે રાષ્ટ્રીય સંમેલનો બોલાવતા સમાજના મધ્યમમાર્ગી આગેવાનો અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં ભારે નારાજગી અને મૂંઝવણ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમથી કોળી સમાજમાં આંતરિક જૂથવાદ જાહેરમાં આવી ગયો છે.

Rift in Koli Community: હીરાભાઈ સોલંકી vs કુંવરજી બાવળિયા: તારીખોનો જંગ

Rift in Koli Community

માહિતી અનુસાર, કોળી સમાજના બે મોટા જૂથો સામસામે આવી ગયા છે અને બંનેએ દિલ્હીમાં પોતાની પકડ મજબૂત કરવા કવાયત આદરી છે:

  • ૨૧ જૂનનું અધિવેશન: સૌરાષ્ટ્રના દબંગ કોળી આગેવાન અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગામી ૨૧ જૂને દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે. આ જૂથને અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વીરેન્દ્ર કશ્યપનું સીધું સમર્થન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
  • ૧૪ જૂનનું અધિવેશન: બીજી તરફ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાળાએ હીરાભાઈના અધિવેશનના બરાબર એક અઠવાડિયા પહેલા એટલે કે ૧૪ જૂને દિલ્હીમાં અલગ રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા અગાઉ ત્રણ વર્ષ સુધી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેથી આ લડાઈ હવે વર્તમાન અને પૂર્વ પ્રમુખ વચ્ચેના વર્ચસ્વની બની ગઈ છે.

Rift in Koli Community: દિલ્હીની બેઠક નિષ્ફળ રહી, બાવળિયાએ અલગ માર્ગ પકડ્યો

Rift in Koli Community

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સમાજમાં ભંગાણ રોકવા માટે આશરે ૨૫ દિવસ અગાઉ દેશના પાટનગર દિલ્હીમાં વીરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે એક બંધ બારણે બેઠક યોજાઈ હતી. કલાકો સુધી ચાલેલી આ બેઠકનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચે સમાધાન લાવીને એક જ સંયુક્ત અધિવેશન યોજવાનો હતો. જોકે, બંને પક્ષો પોતાની શરતો પર અડી રહેતા કોઈ સર્વસંમતિ કે નિરાકરણ આવી શક્યું નહોતું. બેઠક નિષ્ફળ જતાં જ કુંવરજી બાવળિયાએ પોતાના સમર્થકો સાથે મળીને અલગ અધિવેશન યોજવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી, જેના પર પોતે બાવળિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.

Rift in Koli Community: ‘બંનેમાંથી એકેય અધિવેશનમાં ન જાઓ’: પ્રવીણભાઈ કોળીની અપીલ

એક જ સમાજમાં સર્જાયેલી ફાટફૂટથી નારાજ થઈને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સમાજના હિતમાં એક વિડીયો/નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે:

એક જ રાષ્ટ્રીય સંસ્થાના નેજા હેઠળ બે અલગ-અલગ સંમેલનો યોજવા તે સમાજને વિભાજન તરફ ધકેલવા સમાન છે. કેટલાક સ્વાર્થી તત્વો પોતાના અંગત હિત સાધવા માટે સમાજના ભાગલા પાડવા ઈચ્છે છે. હું કોળી સમાજના તમામ ભાઈઓ અને કાર્યકરોને નમ્ર અપીલ કરું છું કે તેઓ સમાજની એકતા જાળવવા માટે ૧૪ જૂન કે ૨૧ જૂન, બંનેમાંથી એકપણ અધિવેશનમાં ભાગ ન લે.”

હાલમાં સમાજમાં એકતા પુનઃ સ્થાપિત કરવા માટે પડદા પાછળ અનેક પ્રયાસો ચાલુ છે, પરંતુ દિલ્હીના આ ‘પાવર પ્લે’એ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નર્મદા કેનાલ સફાઈ કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકો અને વકીલો ઉતર્યા પ્રતીક ઉપવાસ પર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments