India’s Aviation Revolution: હવે વિમાન પણ દોડશે ‘ઈથેનોલ’ પર! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શું સસ્તી થશે હવાઈ મુસાફરી?

0
152
India’s Aviation Revolution
India’s Aviation Revolution

India’s Aviation Revolution:ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર કરતા વિમાનના ઇંધણ (ATF) માં ઈથેનોલ બ્લેન્ડિંગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી માત્ર પ્રદૂષણમાં ઘટાડો નહીં થાય, પરંતુ કાચા તેલની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.

India’s Aviation Revolution: શું ફેરફાર કરવામાં આવ્યો?

મંત્રાલયે 17 એપ્રિલ 2026ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને ‘એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (રેગ્યુલેશન ઓફ માર્કેટિંગ) ઑર્ડર, 2001’ ના નિયમોમાં સુધારો કર્યો છે.

  • હવે ATF માં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેટિક કમ્પોનન્ટ્સ (જેમ કે ઈથેનોલ) ભેળવી શકાશે.
  • આ ઈથેનોલ શેરડી, વેસ્ટ ઓઇલ અને કૃષિ અવશેષો જેવા બાયો-ફીડમાંથી બનાવવામાં આવશે.

India’s Aviation Revolution: સામાન્ય જનતા અને દેશને શું થશે ફાયદો?

India’s Aviation Revolution
  1. સસ્તી મુસાફરી: ઈંધણના ખર્ચમાં ઘટાડો થવાથી આગામી સમયમાં વિમાનની ટિકિટના ભાવ ઘટી શકે છે.
  2. પર્યાવરણની સુરક્ષા: સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે.
  3. ખેડૂતોને લાભ: શેરડી અને કૃષિ અવશેષોનો ઉપયોગ વધતા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે.
  4. આત્મનિર્ભર ભારત: વિદેશી ઇંધણ પાછળ ખર્ચાતું હૂંડિયામણ બચશે.

વર્તમાન વિમાન પ્રણાલીમાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી શકાશે, જે એવિએશન સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  કેદારનાથ ધામમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત પુત્રનો આક્રોશ- “CMને હેલિકોપ્ટર મળે તો મૃતદેહને કેમ નહીં?”