India’s Aviation Revolution:ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર કરતા વિમાનના ઇંધણ (ATF) માં ઈથેનોલ બ્લેન્ડિંગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી માત્ર પ્રદૂષણમાં ઘટાડો નહીં થાય, પરંતુ કાચા તેલની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.
India’s Aviation Revolution: શું ફેરફાર કરવામાં આવ્યો?
મંત્રાલયે 17 એપ્રિલ 2026ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને ‘એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (રેગ્યુલેશન ઓફ માર્કેટિંગ) ઑર્ડર, 2001’ ના નિયમોમાં સુધારો કર્યો છે.
- હવે ATF માં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેટિક કમ્પોનન્ટ્સ (જેમ કે ઈથેનોલ) ભેળવી શકાશે.
- આ ઈથેનોલ શેરડી, વેસ્ટ ઓઇલ અને કૃષિ અવશેષો જેવા બાયો-ફીડમાંથી બનાવવામાં આવશે.
India’s Aviation Revolution: સામાન્ય જનતા અને દેશને શું થશે ફાયદો?

- સસ્તી મુસાફરી: ઈંધણના ખર્ચમાં ઘટાડો થવાથી આગામી સમયમાં વિમાનની ટિકિટના ભાવ ઘટી શકે છે.
- પર્યાવરણની સુરક્ષા: સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે.
- ખેડૂતોને લાભ: શેરડી અને કૃષિ અવશેષોનો ઉપયોગ વધતા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે.
- આત્મનિર્ભર ભારત: વિદેશી ઇંધણ પાછળ ખર્ચાતું હૂંડિયામણ બચશે.
વર્તમાન વિમાન પ્રણાલીમાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી શકાશે, જે એવિએશન સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : કેદારનાથ ધામમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત પુત્રનો આક્રોશ- “CMને હેલિકોપ્ટર મળે તો મૃતદેહને કેમ નહીં?”




