Good News for Travelers: હોળી અને ધુળેટીના તહેવારોમાં વતન જનારા મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. મુસાફરોની આ વધતી ભીડ અને માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને ખાતીપુરા (જયપુર પાસે) વચ્ચે તહેવાર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ મહિના દરમિયાન મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે.
Good News for Travelers:ટ્રેનનું સમયપત્રક અને ફેરા
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ટ્રેનનું શિડ્યુલ નીચે મુજબ રહેશે:
- ટ્રેન નં. 09103 (વડોદરાથી ખાતીપુરા):
- આ ટ્રેન દર રવિવારે રાત્રે 9:35 કલાકે વડોદરાથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:10 કલાકે ખાતીપુરા પહોંચશે.
- સેવાનો સમયગાળો: 1 માર્ચથી 29 માર્ચ સુધી.
- ટ્રેન નં. 09104 (ખાતીપુરાથી વડોદરા):
- આ ટ્રેન દર સોમવારે રાત્રે 8:55 કલાકે ખાતીપુરાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 11:30 કલાકે વડોદરા પરત ફરશે.
- સેવાનો સમયગાળો: 2 માર્ચથી 30 માર્ચ સુધી.

Good News for Travelers:કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન ગુજરાત અને રાજસ્થાનના મહત્વના સ્ટેશનો પર રોકાશે:
ગોધરા, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તૌડગઢ, ભીલવાડા, વિજયનગર, નસીરાબાદ, અજમેર, મદાર, કિશનગઢ અને જયપુર.
બુકિંગની વિગત
આ સ્પેશિયલ ટ્રેન (નં. 09103) માટેનું બુકિંગ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો રેલવેના PRS કાઉન્ટર અથવા IRCTCની અધિકૃત વેબસાઈટ પર જઈને પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. વિશેષ ભાડા સાથે દોડનારી આ ટ્રેનથી રાજસ્થાન તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો : PM મોદીનો અજમેરથી દેશની દીકરીઓને મોટો સુરક્ષા કવચ: સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત માટે HPV વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ




