Ahmedabad news: આગામી સમયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ સુધીમાં અમદાવાદ શહેરના આંતરિક માર્ગો પરથી ખાનગી લક્ઝરી બસો અને ગુજરાત એસટી (ST) નિગમની બસોની એન્ટ્રી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

Ahmedabad news: SG હાઈવે અને રિંગ રોડ બનશે ‘લિમિટ’
નવા આયોજન મુજબ, બહારથી આવતી તમામ ભારે બસો માત્ર એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગ રોડ સુધી જ આવી શકશે. શહેરની અંદર જવા માટે મુસાફરોએ ફરજિયાતપણે જાહેર પરિવહન સેવાઓ જેવી કે AMTS, BRTS અને મેટ્રો રેલનો ઉપયોગ કરવો પડશે.
Ahmedabad news: ‘AmdavadNXT’ એક્ઝિબિશનમાં મોટી જાહેરાત
સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલા ‘AmdavadNXT’ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, “શહેરના AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ)ને સુધારવા અને ટ્રાફિક ઘટાડવા માટે આ કડક પગલું જરૂરી છે. લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે માટે સરકાર કટિબદ્ધ છે.”
Ahmedabad news: અમદાવાદને ‘ગ્લોબલ સિટી’ બનાવવાના 5 મુખ્ય મુદ્દા:

- નવી મેટ્રો લાઈન્સ: એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 4 નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે.
- ઈ-બસ ક્રાંતિ: પ્રદૂષણ ઘટાડવા માટે શહેરમાં 3000થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું લક્ષ્ય છે.
- RRTS કનેક્ટિવિટી: કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને ‘રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’થી જોડવામાં આવશે, જેથી મુસાફરી માત્ર 30-45 મિનિટમાં પૂર્ણ થશે.
- ઓલિમ્પિક્સ 2036ની તૈયારી: 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ બીડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ કરી દેવાયું છે.
- પાર્કિંગ અને કનેક્ટિવિટી: મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા અને ‘લાસ્ટ માઈલ કનેક્ટિવિટી’ માટે MyByk જેવી સેવાઓ પર ભાર મુકાશે.
મહત્વની માહિતી: > સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી જાહેર પરિવહન સેવા પરનું આ એક્ઝિબિશન નાગરિકો માટે ખુલ્લું રહેશે.
આ પણ વાંચો :કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, 20 લાખની ખંડણીનો આક્ષેપ




