Major Relief for Adhyapak Sahayaks:સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં ઐતિહાસિક સુધારો: હવે ફિક્સ પગારનો અનુભવ પણ ગણાશે ‘માન્ય’

0
94
Adhyapak

Major Relief for Adhyapak Sahayaks:રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદો પર ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે શિક્ષણ વિભાગે ખુશખબર આપ્યા છે. હવેથી પ્રોફેસરની કાયમી ભરતીમાં ફિક્સ પગાર (અધ્યાપક સહાયક) તરીકે આપેલી સેવાને અનુભવ તરીકે ગણવામાં આવશે. શિક્ષણ વિભાગના આ એક જ નિર્ણયથી વર્ષોથી અન્યાય અનુભવતા શૈક્ષણિક વર્ગમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

Major Relief for Adhyapak Sahayaks:શું હતો જૂનો વિવાદ અને શું છે નવો સુધારો?

Major Relief for Adhyapak Sahayaks

અત્યાર સુધી રાજ્યમાં પ્રોફેસર કે ઉચ્ચ શૈક્ષણિક પદોની ભરતી થતી ત્યારે ‘અધ્યાપક સહાયક’ તરીકે ફિક્સ પગારમાં વિતાવેલા 5 વર્ષનો સમયગાળો અનુભવ (Experience) તરીકે ગણવામાં આવતો નહોતો. આ વિસંગતતાને કારણે અનેક લાયક અને અનુભવી ઉમેદવારો ઉચ્ચ પદો માટે ગેરલાયક ઠરતા હતા.

  • નવો ફેરફાર: શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ, હવે 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ ભરતી માટે માન્ય ગણાશે.

Major Relief for Adhyapak Sahayaks:રાજ્યની તમામ 14 યુનિવર્સિટીઓમાં અમલ ફરજિયાત

આ નિયમ માત્ર એક યુનિવર્સિટી પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યની તમામ મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં તેનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે:

  • ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)
  • એમ.એસ. યુનિવર્સિટી (વડોદરા)
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સુરત)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ)
  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિતની તમામ સરકારી સંસ્થાઓ.

ન્યાય અને સમાનતાનો પાયો

શિક્ષણવિદો આ નિર્ણયને ઐતિહાસિક’ ગણાવી રહ્યા છે. તેમના મતે:

  1. અધ્યાપક સહાયકોને ન્યાય: જે લોકોએ ઓછા પગારે વર્ષો સુધી સેવા આપી છે, તેમને હવે કાયમી અને ઉચ્ચ ભરતીમાં સીધો ફાયદો મળશે.
  2. ભરતીમાં સમાનતા: તમામ યુનિવર્સિટીઓમાં એકસરખા નિયમો હોવાથી ઉમેદવારોમાં કોઈ ભેદભાવ રહેશે નહીં.
  3. પારદર્શિતા: ભરતી પ્રક્રિયામાં ચાલતી જૂની વિસંગતતાઓ દૂર થશે અને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ‘ભાગીને લગ્ન’ કરનારાઓ માટે મુશ્કેલી: લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, જાણો નવા સુધારા