HomeDeshMagh Mela Controversy: અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળો છોડીને કાશી રવાના, કહ્યું – સ્નાન...

Magh Mela Controversy: અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળો છોડીને કાશી રવાના, કહ્યું – સ્નાન કર્યા વિના પાછા ફરવું પડશે એવી કલ્પના પણ નહોતી

Magh Mela Controversy:  શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રયાગરાજનો માઘ મેળો અધવચ્ચે જ છોડવાનો નિર્ણય લીધો છે. બુધવારે સવારે તેઓ કાશી માટે રવાના થયા. માઘ મેળામાંથી વિદાય લેતા પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વ્યથિત મનથી કહ્યું કે, “આજે મન એટલું દુઃખી છે કે સ્નાન કર્યા વિના જ અહીંથી જવું પડી રહ્યું છે. આવી પરિસ્થિતિ આવશે એવી કલ્પના પણ મેં ક્યારેય કરી નહોતી.”

શંકરાચાર્યે કહ્યું કે પ્રયાગરાજ હંમેશા આસ્થા અને શાંતિનું પ્રતીક રહ્યું છે. તેઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે માઘ મેળામાં આવ્યા હતા, પરંતુ અહીં એવી ઘટના બની, જેની કોઈ અપેક્ષા નહોતી. “આ ઘટનાએ મારી આત્માને હચમચાવી નાખી છે. ન્યાય અને માનવતા પ્રત્યેનો મારો વિશ્વાસ આથી નબળો પડ્યો છે,” એમ તેમણે જણાવ્યું.

Magh Mela Controversy:  પ્રશાસનનો પ્રસ્તાવ હોવા છતાં લીધો વિદાયનો નિર્ણય

Magh Mela Controversy

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સ્પષ્ટ કર્યું કે માઘ મેળા પ્રશાસન તરફથી તેમને સંપૂર્ણ સન્માન સાથે સંગમ લઈ જઈ સ્નાન કરાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગઈકાલે પ્રશાસન તરફથી બ્રહ્મચારીના માધ્યમથી અને મુખ્ય કાર્યકારી અધિકારી ચંદ્ર પ્રકાશ ઉપાધ્યાય દ્વારા એક પત્ર મોકલવામાં આવ્યો હતો.

આ પત્રમાં લખ્યું હતું કે શંકરાચાર્યને પાલખી દ્વારા સંગમ લઈ જઈ અધિકારીઓની હાજરીમાં સ્નાન કરાવવામાં આવશે. તેમ છતાં તેમણે કહ્યું, “મન ખૂબ વ્યથિત છે. જ્યારે હૃદયમાં દુઃખ અને ગુસ્સો હોય, ત્યારે પવિત્ર જળ પણ મનને શાંતિ આપી શકતું નથી.”

Magh Mela Controversy:  18 દિવસ પહેલાં જ માઘ મેળો છોડ્યો

ઉલ્લેખનીય છે કે માઘ મેળો 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. હજુ બે મહત્વપૂર્ણ સ્નાન બાકી છે—માઘી પૂર્ણિમા (1 ફેબ્રુઆરી) અને મહાશિવરાત્રી (15 ફેબ્રુઆરી). છતાં, વિવાદ અને પરિસ્થિતિને કારણે શંકરાચાર્યે માઘ મેળો 18 દિવસ પહેલાં જ છોડવાનો નિર્ણય કર્યો છે.

Magh Mela Controversy:  સ્નાન માત્ર વિધિ નહીં, આત્મિક ચેતનાનો માર્ગ છે”

શંકરાચાર્યે કહ્યું કે સંગમમાં સ્નાન કરવું માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ તે અંતરાત્માની સંસ્કૃતિ અને આત્મિક ચેતનાનો માર્ગ છે. “પરંતુ આજે મન એટલું પીડિત છે કે સ્નાન કર્યા વિના જ આ પવિત્ર ભૂમિ પરથી વિદાય લઈ રહ્યા છીએ. જ્યારે હૃદયમાં ક્ષોભ અને પીડા હોય, ત્યારે જળની શીતળતા પણ શાંતિ આપી શકતી નથી,” એમ તેમણે જણાવ્યું.

અમે જઈ રહ્યા છીએ, પરંતુ સત્યના પ્રશ્નો અહીં રહી જશે”

શંકરાચાર્યે કહ્યું કે તેઓ પોતાના નિવેદન દ્વારા સનાતન સમાજ, કુંભ મેળા પ્રાધિકરણ અને ઉત્તર પ્રદેશ સરકાર સુધી સંદેશ પહોંચાડવા માંગે છે કે ન્યાયની પરીક્ષા ક્યારેય પૂર્ણ થતી નથી. “આજે અમે અહીંથી જઈ રહ્યા છીએ, પરંતુ અમારી પાછળ સત્યનો પડઘો અને અનેક પ્રશ્નો છોડી જઈ રહ્યા છીએ, જે માત્ર પ્રયાગરાજની હવામાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વાતાવરણમાં ગુંજશે અને તેમના ઉત્તર માગશે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં શોકનો માહોલ: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, કુલ 5 લોકોના મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments