Ajit Pawar Died News : મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. 66 વર્ષીય અજિત પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
Ajit Pawar Died News : લેન્ડિંગ દરમિયાન વિમાન સળગી ગયું

પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. પ્લેન લપસ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખું વિમાન સળગીને ખાખ થઈ ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને પુણે જિલ્લા વહીવટીતંત્રે આ અકસ્માતમાં અજિત પવાર સહિત 5 લોકોના મોતના સમાચારની પુષ્ટિ કરી છે.
Ajit Pawar Died News : દુર્ઘટનામાં જીવ ગુમાવનાર:

- અજિત પવાર (ડેપ્યુટી CM, મહારાષ્ટ્ર)
- પર્સનલ આસિસ્ટન્ટ (PA)
- સુરક્ષાકર્મી
- પ્લેન સ્ટાફ (ક્રૂ મેમ્બર્સ)
ચૂંટણી સભાઓને સંબોધવા જઈ રહ્યા હતા
અજિત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે બારામતીમાં 4 મહત્વની સભાઓને સંબોધિત કરવાના હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને તેમના ગઢ ગણાતા બારામતીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
PM મોદી અને અમિત શાહે CM ફડણવીસ સાથે વાત કરી
દુર્ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને અકસ્માતની વિગતો મેળવી દુઃખ વ્યક્ત કર્યું હતું.
પવાર પરિવારમાં આક્રંદ
ઘટના સમયે શરદ પવાર અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા, જેઓ તાત્કાલિક બારામતી જવા રવાના થયા છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને પરિવારના અન્ય સભ્યો પણ મુંબઈથી બારામતી પહોંચી રહ્યા છે.
આગળની કાર્યવાહી: વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :Budget Session 2026:બજેટ સત્ર પહેલાં સરકારની સર્વપક્ષીય બેઠક આજે, 35થી વધુ રાજકીય પક્ષોના સાંસદો હાજર રહેશે




