Home Desh Andhra Pradesh Train Fire: કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ, એક મુસાફરનું...

Andhra Pradesh Train Fire: કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ, એક મુસાફરનું મોત

0
286
Train Fire
Train Fire

Andhra Pradesh Train Fire: ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેનના એસી કોચમાં લાગેલી આગમાં બે ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા, જ્યારે આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયાનું સામે આવ્યું છે.

Andhra Pradesh Train Fire

Andhra Pradesh Train Fire: કેવી રીતે લાગી આગ?

અહેવાલો મુજબ, ટ્રેન અનાકાપલ્લે જિલ્લાના એલામંચિલી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એસી કોચમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાવા લાગી. સ્થિતિની ગંભીરતા સમજીને લોકો પાયલટે તાત્કાલિક ટ્રેન એલામંચિલી સ્ટેશન પર રોકી દીધી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આગ B1, B2 અને M1 કોચ સુધી ફેલાઈ હતી. રેલવે કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને અન્ય કોચને સળગતા ડબ્બાથી અલગ કરી દીધા હતા.

Andhra Pradesh Train Fire: એક મૃતદેહ મળ્યો, ઓળખ બાકી

અનાકાપલ્લીના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ પુષ્ટિ કરી છે કે બળી ગયેલા કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જોકે મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. બીજી તરફ, રેલવે દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું અને કોઈને ઈજા ન થઈ હોવાનું જણાવાયું છે, જેને કારણે મૃતદેહ મળવાની વાતને લઈને વિરોધાભાસ ઊભો થયો છે.

બચાવ કામગીરી અને તપાસ

પરવાડા ડીએસપી વિષ્ણુ સ્વરૂપ અને NTR ટીમની દેખરેખ હેઠળ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

રેલવે દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.

મુસાફરોમાં નાસભાગ

ચાલુ ટ્રેનમાં અચાનક આગ લાગતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા મુસાફરો જીવ બચાવવા પોતાનું સામાન છોડીને ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા. રેલવે દ્વારા અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરી અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો :Amit Shah:‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે’અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની મોટી રાજકીય ભવિષ્યવાણી,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે