Gujarat Ration Card :6 વર્ષમાં 6.34 લાખ રેશનકાર્ડ રદ: 2025માં સૌથી વધુ 69 હજાર કેસ

0
136
Gujarat Ration

Gujarat Ration Card :ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે રાજ્યભરમાં 69,102 રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 75.17 લાખ રેશનકાર્ડધારકો છે, પરંતુ છેલ્લા 6 વર્ષમાં કુલ 6.34 લાખ રેશન કાર્ડ વિવિધ કારણસર રદ થઈ ચૂક્યા છે.

Gujarat Ration Card :

Gujarat Ration Card :ઈ-કેવાયસી ન કરનારા રેશનકાર્ડધારકો મુશ્કેલીમાં

GujaratRationCard :PublicDistributionSystemકેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે તમામ રેશનકાર્ડધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરવાની સૂચના આપી હતી. છતાં પણ રાજ્યમાં હજારો લોકોએ ન તો ઈ-કેવાયસી કરાવી અને ન રાશન સિસ્ટમમાં પોતાનો ડેટા અપડેટ કર્યો.

  • અનેક નકલી રેશનકાર્ડ ધરાવતા લોકો પણ ઓળખાયા.
  • deadlines બાદ આવા કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવ્યા.

સરકારનો સ્પષ્ટ આદેશ છે કે 31 ડિસેમ્બર 2025 પહેલાં ઈ-કેવાયસી ન કરનારાના રેશન કાર્ડ પણ રદ થશે.

Gujarat Ration Card :

Gujarat Ration Card :6 મહિનાથી રાશન ન લીધું હોય તો પણ કાર્ડ બંધ થઈ શકે

કેન્દ્ર સરકારના બીજા જાહેરનામા મુજબ—

  • જે રેશનકાર્ડધારકોએ 6 મહિનાથી રાશન લીધું નથી,
    તેમના કાર્ડ એક્ટિવ સ્થિતિમાંથી બહાર થઈ જશે.
  • તેના બાદ 3 મહિનામાં ડોર-ટુ-ડોર વેરિફિકેશન અને ઈ-કેવાયસી દ્વારા તેમના પાત્રતા ફરી તપાસાશે.

Gujarat Ration Card :શા માટે કરી રહી છે સરકાર આ કાર્યવાહી?

સરકારના મતે—

  • નકલી રેશનકાર્ડ,
  • ખોટી માહિતી,
  • અને ગરીબોને મળતી અનાજની યોજનામાં ગેરરીતિ રોકવા
    આ પગલાં મહત્વપૂર્ણ છે.

નાગરિકોને સૂચના

સરકારે તમામ રેશનકાર્ડ ધરકોને સમયસર ઈ-કેવાયસી પૂર્ણ કરવાની અને
નિયમિત રીતે રાશન લેવાની સલાહ આપી છે જેથી કાર્ડ રદ થવાથી બચી શકાય.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Gujarat Health news: ગુજરાતમાં આરોગ્ય સંકટ ઊંડું એક વર્ષમાં 22.18 લાખ ડાયાબિટીસ અને 77 હજાર કેન્સર કેસ નોંધાયા, દેશમાં રાજ્ય મોખરે

Gujarat Ration Card