Rath yatra: હાથીને માર મારવાના બનાવમાં કડક કાર્યવાહી કરવાની માગ

0
2

Rath yatra:હાથીને માર મારવાના મામલે તોફાની વિવાદ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન ખાડીયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થતી વખતે એક અણધારી ઘટના બની. ડી.જે. મ્યુઝિકના તીવ્ર અવાજથી ભડકેલા એક નર હાથી અને બે માદા હાથી બેકાબૂ બન્યા, જેના કારણે રથયાત્રામાં અફરાતફરી મચી ગઈ. આ હાથીઓને તાત્કાલિક રથયાત્રાથી અલગ કરીને જગન્નાથજી મંદિર નજીક આવેલા હાથીખાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને શાંત કરવામાં આવ્યા.

આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં એક મહાવત હાથીને લાકડી વડે મારતો જોવા મળ્યો. આ વીડિયોએ લોકોમાં રોષ ફેલાવ્યો અને પ્રાણીઓ પ્રત્યેની હિંસા અંગે સવાલો ઉભા થયા. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વીડિયો અંગેનો રિપોર્ટ માંગ્યો છે અને ખાનગી રીતે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વીડિયોમાં જોવા મળેલા મહાવત અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

હવે આ મામલે સ્ટેટ એનિમલ વેલ્ફેર એસોસિએશને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. એસોસિએશન દ્વારા અમદાવાદ કલેક્ટરને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે રથયાત્રામાં હાથી ભાગવાની ઘટના બાદ હાથીને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો . આ વીડિયો ખુબ જ ચિંતાજનક છે અને પ્રાણીઓ પ્રત્યેની કૃરતા દર્શાવે છે.

Rath yatra

Rath yatra:સ્ટેટ એનિમલ વેલ્ફેર એસોસિએશનનો કલેક્ટરને પત્ર, કડક કાર્યવાહી

પત્રમાં અમદાવાદ કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યરત પ્રાણી કૃરતા નિવારણ સોસાયટી દ્વારા આ હાથી બાબતે પ્રાણીઓને ધ્યાનમાં રાખીને જે પણ કાર્યવાહી કરવામાં આવે અને એ પ્રત્યે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેનો અમારો સહકાર રહેશે. વાયરલ થયેલા વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી હાથીને યોગ્ય ન્યાય મળી શકે. ભવિષ્યમાં ઘ કે મંદિર કે કોમર્શિયલ કોમ્પલેક્સમાં કોઇ આશ્રયસ્થાને કે રથયાત્રામાં કે કોઇ મેળાવડામાં કોઇ પણ પ્રાણી પર અત્યાચાર ના થાય તે માટે અમારુ સમર્થન છે.

ઉલ્લેખનિય છે કે આ ઘટના અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મહાવતે હાથીને મારવાના ઇરાદાથી નહીં, પરંતુ તેને સમજાવવા અને તેના વર્તનને નિયંત્રિત કરવા માટે લાકડીનો ઉપયોગ કર્યો હશે. આ પ્રક્રિયા હાથીની ભાષામાં તેને સમજાવવાનો એક ભાગ છે, જેમાં હિંસાનો કોઈ ઇરાદો નથી. જે રીતે આપણે આપણા બાળકને તોફાન કરવા પર સમજાવીએ છીએ, તેવી જ રીતે મહાવતે હાથીને સમજાવવા માટે આ પદ્ધતિ અપનાવી હશે. હાથીને કોઈ જોરજબરદસ્તી કરવામાં આવી નથી, અને તે હાથીખાનામાં સુરક્ષિત, ખુશ અને સ્વસ્થ છે.”

Rath yatra

Rath yatra:રથયાત્રા દરમિયાન હાથીઓ બેકાબૂ બન્યાની ઘટના

મહંત દિલીપદાસજીએ વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું, “અમે વર્ષોથી હાથીઓનું પ્રેમથી ધ્યાન રાખીએ છીએ અને તેમની સંભાળ માટે ખર્ચ કરીએ છીએ. રથયાત્રામાં બેકાબૂ થયેલા હાથીઓ હવે સંપૂર્ણ શાંત છે, અને તેમને કોઈ તકલીફ નથી. વાયરલ વીડિયોમાં દેખાતો હાથી અને રથયાત્રામાં બેકાબૂ થયેલા હાથીઓ અલગ છે.”

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
Read more: Rath yatra: હાથીને માર મારવાના બનાવમાં કડક કાર્યવાહી કરવાની માગ