લક્ષ્મીપૂજન – ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત

0
169
Chopda Pujan 2024: લક્ષ્મીપૂજન - ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત
Chopda Pujan 2024: લક્ષ્મીપૂજન - ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત

Chopda Pujan 2024: દિવાળી પર લક્ષ્મીજીની સાથોસાથ ગણેશ, કુબેર, સરસ્વતી અને કાલિકાની પણ પૂજા કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે દિવાળીનાં દિવસે વહી ખાતાની પૂજા કરવાની પરંપરા છે. માન્યતા અનુસાર આ કરવાથી આખું વર્ષ ધનની આવક થતી રહે છે.

Chopda Pujan 2024: લક્ષ્મીપૂજન - ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત
Chopda Pujan 2024: લક્ષ્મીપૂજન – ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત

Chopda Pujan 2024: ચોપડા પૂજનનું મહત્વ

હિંદૂ ધર્મમાં દિવાળીનાં પર્વને ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા વરસાવતો ઉત્સવ માનવામાં આવે છે. હિંદૂ માન્યતા અનુસાર કાર્તિક માસની અમાસનાં દિવસે જે કોઈ વ્યક્તિ વિધિ-વિધાનથી ગણેશ-લક્ષ્મીનું પૂજન કરે છે તે આખું વર્ષ ધન મેળવતું રહે છે. માં લક્ષ્મી એ વ્યક્તિ સાથે હંમેશા રહે છે અને કુબેર દેવતાની કૃપા પણ રહે છે. આ જ શુભતા અને લાભતાની કામના માટે તમામ વેપારીઓ દિવાળીનાં દિવસે વિશેષરૂપે પોતાના વહી ખાતાની પૂજા (ચોપડા પૂજન – Chopda Pujan 2024) કરે છે કારણકે તેમનું માનવું છે કે વેપાર માટે નવા વર્ષની શરૂઆત આ જ દિવસથી થાય છે.

ગુજરાતમાં ચોઘડિયા મુહૂર્ત પ્રચલિત છે અને ચોપડા પૂજન કરવા યોગ્ય માનવામાં આવે છે. દીપાવલીના દિવસે લોકો ચોઘડિયાના શુભ સમયને પસંદ કરે છે. ચોઘડિયા મુહૂર્ત જે પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે તે છે અમૃત, શુભ, લાભ અને ચર. ચોઘડિયા મુહૂર્તનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તે દિવસના સમયે તેમજ રાત્રિના સમયે ઉપલબ્ધ છે. દિવાળી લક્ષ્મી પૂજા દરમિયાન લગન આધારિત દિવાળી મુહૂર્ત અને પ્રદોષ સમય લક્ષ્મી પૂજન મુહૂર્ત વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પરંપરાગત હિસાબી પુસ્તકો ચોપડા અથવા ચોપડા તરીકે ઓળખાય છે. જો કે, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના યુગમાં, ચોપડાનું મહત્વ હાંસિયામાં ધકેલાઈ ગયું છે કારણ કે મોટાભાગના વ્યવસાયો તેમની નાણાકીય વ્યવસ્થા કરવા માટે લેપટોપ અને એકાઉન્ટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી ચોપડા પૂજા (Chopda Pujan 2024) નું મહત્વ બદલાતું નથી કારણ કે ઉદ્યોગપતિઓ તેમના લેપટોપનો ઉપયોગ ચોપડા તરીકે કરે છે અને દેવતાઓ સમક્ષ તેની પૂજા કરે છે. વર્તમાન સમયમાં ચોપડાને બદલે સ્વસ્તિક, ઓમ અને શુભ-લાભ લેપટોપની ટોચ પર દોરવામાં આવે છે.

પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા, નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો નીચે પ્રમાણે છે.

Chopda Pujan 2024: લક્ષ્મીપૂજન - ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત
Chopda Pujan 2024: લક્ષ્મીપૂજન – ચોપડા પૂજન વિધિ, જાણો ચોપડા પૂજનનું શુભ મુહૂર્ત

ગાદી ઉપાડવા, નવા ચોપડા તેમજ ચોપડા પૂજનનું મુહૂર્ત :

આવનાર વર્ષને સમૃદ્ધ અને લાભદાયી બનાવવા માટે ભગવતી લક્ષ્મી, ભગવાન ગણેશ અને મા શારદાના આશીર્વાદ મેળવવાનો સૌથી યોગ્ય સમય દિવાળી છે. આથી દિવાળી ચોપડા પૂજા દરમિયાન નવા હિસાબી પુસ્તકોને પવિત્ર કરવામાં આવે છે.

  • દિવાળી ચોપડા પૂજન 2024/ Diwali Chopda Pujan 2024 (31/10/2024)
31/10/2024 ગુરુવારના રોજ ચોપડા પૂજાChopda Puja on Thursday, October 31, 2024
બપોરનું મુહૂર્ત (શુભ)04:37 PM થી 06:02 PM
સાંજનું મુહૂર્ત (અમૃત, ચલ)06:02 PM થી 09:13 PM
તા.01/11/2024 / રાત્રિ મુહૂર્ત (લાભ) મધ્ય રાતે 12:23 AM થી 01:59 AM, નવેમ્બર 01
તા.01/11/2024 / વહેલી સવારનું મુહૂર્ત (શુભ, અમૃત)સવારે 03:34 AM થી 06:45 AM, નવેમ્બર 01
અમાવસ્યા તિથિ શરૂઆત 31/10/2024 03:52 પી એમ ઓક્ટોબર 31, 2024 ના રોજ
અમાવસ્યા તિથિ સમાપ્ત 31/10/202406:16 પી એમ નવેમ્બર 01, 2024 ના રોજ

શ્રી ગણેશ અને લક્ષ્મીજીની પૂજાવિધિ

પંચોપચાર પૂજનમાં તદ્દન ઓછો સમય લાગે છે. આ પૂજા વિધિ સમયનો અભાવ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે. પંચોપચારમાં સામાન્ય વિધિથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પૂજા કરી શકે છે. આ વિધિથી પણ મોટી પૂજા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે.

  • આ પૂજામાં સૌપ્રથમ ત્રણ વખત આચમન કરવું જોઈએ. એટલે કે ત્રણ વખત પાણી ગ્રહણ કરો. ત્યારબાદ હાથ સાફ કરો. પોતાની જાત પર અને પૂજન સામગ્રી પર પાણીનો છંટકાવ કરીને તમામ વસ્તુઓને પવિત્ર કરો. પૃથ્વી દેવીને પ્રણામ કરો. સંકલ્પ કરો. દીપાવલી પર લક્ષ્મીજીનાં તમામ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ.
  • લક્ષ્મી પૂજાની પહેલાં ગણેશજીનું પૂજન કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો. જેમ કે શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. ત્યારબાદ વિષ્ણુજીની પૂજા કરો અને વિષ્ણુ મંત્રોનો જાપ કરો. જેમ કે, ૐ નમો નારાયણાય. મહાલક્ષ્મીની પૂજા શરૂ કરો. દેવી તમારા ઘરમાં જ બિરાજમાન છે એવો ભાવ કરો. દેવીનો સત્કાર કરો.
  • દેવીને પૂજન સામગ્રી, પુષ્પહાર ચડાવો, ધૂપ-દીપ પ્રગટાવો, ભોગ લગાવો, ફળ અર્પણ કરો. દીવા પ્રગટાવીને દેવીની આરતી કરો. છેલ્લે પૂજામાં જાણ્યે-અજાણે થયેલી ભૂલ માટે દેવી પાસે ક્ષમાયાચના કરો. પૂજા પછી જમીન પર જળ રેડો અને આ જળ તમારી આંખો પર લગાવો. આ પછી તમે ઊભા થઈ શકો છો. આ રીતે પૂજા પૂરી થઈ જાય છે.

ઉંબરાની વિનાયક પૂજા

દુકાન/ઓફિસની દીવાલો પર સિંદૂરથી ૐ શ્રીગણેશાય નમઃ, સ્વસ્તિક ચિહ્ન, શુભ-લાભ લખો અને લખતી વખતે ૐ દેહલીવિનાયકાય નમઃ મંત્રનો જાપ કરતા જાઓ. સાથોસાથ પૂજા સામગ્રી અને ફૂલથી પૂજા કરો.

મહાલક્ષ્મી પૂજા

શાહીના ખડિયોને મહાલક્ષ્મીની પાસે ફૂલ અને ચોખા પર રાખો. તેના પર સિંદૂર લગાવીને નાડાછડી વીંટી દો. ૐ શ્રીમહાકાલ્યૈ નમઃ નો જાપ કરતાં કરતાં પૂજાની સુગંધિત વસ્તુઓ અને ફૂલોથી શાહીના ખડિયા અને મહાલક્ષ્મીની પૂજા સંપન્ન કરીને પ્રણામ કરો.

કલમની પૂજા

લેખની (કલમ) પર મૌલી (નાડાછડી) બાંધીને સામે રાખો અને ૐ લેખનીસ્થાયૈ દેવ્યૈ નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં ગંધ, ફૂલ, ચોખાથી પૂજા કરીને પ્રણામ કરો.

Chopda Pujan 2024: વહીખાતા/ચોપડા પૂજન

ચોપડા પર કંકુ કે કેસર-ચંદનથી સ્વસ્તિક દોરો. તેના પર હળદરની પાંચ ગાંઠ, ધાણા, કમળકાકડી, ચોખા, દૂર્વા અને થોડા રૂપિયા મૂકીને ૐ વીણાપુસ્તકધારિણ્યે શ્રીસરસ્વત્યૈ નમઃ મંત્રોચ્ચાર કરતાં કરતાં ગંધ, ફૂલ, ચોખા ચડાવો અને સરસ્વતી માતાને પ્રણામ કરો. (Chopda Pujan 2024)

કુબેર પૂજા

તિજોરી કે નાણાં રાખવાની જગ્યા પર સ્વસ્તિક દોરીને કુબેરનું ધ્યાન કરો. ૐ કુબેરાય નમઃ બોલતાં બોલતાં પૂજા સામગ્રી અને ફૂલોથી પૂજા કરો. પૂજા કર્યા બાદ પ્રાર્થના કરતાં કરતાં હળદર, ચંદન, કેસર, ધાણા, કમળકાકડી, રૂપિયા અને દૂર્વા તિજોરીમાં રાખો. ત્યારબાદ કુબેરને ધનલાભ માટે પ્રાર્થના કરો.

Chopda Pujan 2024: દીપ પૂજન

  • એક થાળીમાં 11, 21 કે તેનાથી વધારે દીવા પ્રગટાવીને મહાલક્ષ્મી પાસે રાખો.
  • એક ફૂલ અને થોડાં પાંદડાં સમગ્ર પૂજન સામગ્રી હાથમાં લો.
  • ત્યારબાદ ૐ દીપાવલ્યૈ નમઃ મંત્ર બોલતાં બોલતાં ફૂલ-પાનને તમામ દીવાઓ પર ચડાવો અને દીપકની પૂજા કરો.
  • દીવાની પૂજા કરીને સંતરા, શેરડી, ધાન્ય વગેરે પદાર્થો ચડાવો. ગણેશ, મહાલક્ષ્મી તથા અન્ય તમામ દેવી-દેવતાઓને ધાણી અર્પણ કરો..

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો