Home Main Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને...

Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી

0
873
Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી
Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી

Chhotaudepur turkheda: છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે સગર્ભાનુ રસ્તાના વાકે ઝોળીમાં પ્રસુતિ અર્થે લઈ જતા રસ્તા વચ્ચે જ મૃત્યુ થયું હતું. તો ગુજરાત હાઈકોર્ટે પણ તેની ગંભીરતાની નોંધ લઈ સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ફટકાર લગાવી હતી. આ બનાવ બાદ સફાળી જાગેલી સરકારે તુરખેડા ગામને રોડની સુવિધા આપવા તાત્કાલિક 18.50 કરોડ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજુર કર્યા છે.

Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી
Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી

સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી નથી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી. પંચાયત માર્ગ મકાન વિભાગે અગાઉ તુરખેડા ગામના રસ્તા માટે 10 કરોડની માંગણી કરી હતી, અને સરકારમાં દરખાસ્તો મોકલી હતી,પરંતુ દરખાસ્તો ના મંજૂર થતાં ગામ અત્યાર સુધી રસ્તાથી વંચિત રહ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા છેલ્લા બે વર્ષથી ખાલી છે. સરકાર આ જગ્યાએ ઇન્ચાર્જ વહીવટથી ચલાવે છે. વડોદરા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર છોટાઉદેપુરનો ચાર્જ સંભાળતા હોવાથી કાયમી આવી શકતા નથી.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં દર વર્ષે 200 કરોડથી વધુના કામો મંજૂર થતા હોય છે. જેથી આ કામગીરી સંભાળવા માટે કાયમી ઇજનેરની જરૂરિયાત છે,પણ સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી કરવામાં વિલંબ કરે છે, જેથી જિલ્લામાં જે જરૂરિયાતવાળા રસ્તા છે તેના પરત્વે કોઈ ધ્યાન આપી શકાતું નથી. જો અગાઉના વર્ષોમાં સરકારે ટુકડે ટુકડે પણ તુરખેડાનો રસ્તો બનાવવા ગ્રાન્ટ ફાળવી હોત તો સગર્ભા મહિલાને તેનો જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.

Chhotaudepur turkheda: મોત બાદ સરકારની આંખ ખૂલી

છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. આ ગંભીર ઘટનાને લઈને સરકાર અને પ્રશાસન સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. તો ગુજરાત હાઈકોર્ટે પણ તેની ગંભીરતાની નોંધ લઈ સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ફટકાર લગાવી હતી. જેથી સરકારે રાતોરાત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ખાતે રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો છે.

સમગ્ર બનાવની વિગત

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ તેના ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તુરખેડા ગામમાં 12 ફળિયા છે, જ્યારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. જ્યારે આ ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગ્યો હતો.

Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી
Chhotaudepur turkheda: રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત, હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ઘોર નિદ્રામાંથી જગાડી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબજ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ, એજ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધ માં વિસ્થાપિત થયા છે. સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે. મહિલા સશક્તિકરણની વાતો કરે છે. સમાનતાની વાત થાય છે ત્યારે અગાઉ પણ આ રીતે ત્રણ લોકોનું મૃત્ય થયું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે