HYATT FOOD : ફૂડ શેફટીના રોજેરોજ ધજાગરા, અમદાવાદની વધુ એક હોટલના ફૂડમાં નીકળ્યો વંદો

0
224
HYATT FOOD
HYATT FOOD

HYATT FOOD : આજકાલ ગુજરાતમાં ફૂડ શેફટીના રોજેરોજ ધજાગરા ઉડી રહ્યા છે, ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે કે કોઈ ફૂડસમાં જીવાત આવવાની ઘટના સામે નથી આવી, આજે વધુ એક અમદાવાદની ખ્યાતનામ હોટલની વાનગીમાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી છે,    

HYATT FOOD : અમદાવાદ શહેરમાં હોટલ કે રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નિકળવાની ઘટના હવે નવી નથી રહી . અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલ હયાતની વાનગીમાંથી જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

HYATT FOOD

વસ્ત્રાપુર હયાત હોટેલના સાંભારમાંથી વંદો નીકળ્યો હતો.  હોટેલમાં એક ખાનગી પ્રસંગ યોજાઈ રહ્યો હતો આ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. AMC દ્વારા હાલ હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું હતું.

HYATT FOOD :  અગાઉ પણ બની છે આવી અનેક ઘટનાઓ

HYATT FOOD

HYATT FOOD :  હજુ એક દિવસ પહેલા જ પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટનાં  રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી.

HYATT FOOD :  આ અગાઉ કાંકરિયા તળાવ પરિસરમાં આવેલા ખાણીપીણી બજારમાં પિત્ઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નિકળવાની ઘટના સામે આવી હતી.  ભાજપના પૂર્વ કોર્પોરેટર મેરેજ એનિવર્સરીને લઈ પરિવાર સાથે ફરવા ગયા હતા, ત્યારે પિત્ઝા અને સોસમાંથી જીવાત નિકળી હતી.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો