Home Breaking News MODI 3.0 :  આજે મંત્રીઓએ સંભાળ્યા પોતાના મંત્રાલયો, જાણો કોને મળ્યું કયું...

MODI 3.0 :  આજે મંત્રીઓએ સંભાળ્યા પોતાના મંત્રાલયો, જાણો કોને મળ્યું કયું મંત્રાલય ?  

0
921
MODI 3.0
MODI 3.0

MODI 3.0 :  મોદી કેબિનેટ 3.0માં પોર્ટફોલિયોના વિભાજન બાદ હવે વિવિધ વિભાગોના મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળવાનું શરૂ કરી દીધું છે. આજે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે, જ્યારે અશ્વિની વૈષ્ણવે રેલ્વે મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે.  આવો એક નજર કરીએ આજે કયા કયા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો..

MODI 3.0 :  અમિત શાહે ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

મોદી સરકારમાં સતત બીજી વખત ગૃહમંત્રાલયનો ચાર્જ કેન્દ્રીય મંત્રી અમિત શાહને આપવામાં આવ્યો છે, આજે અમિત શાહે  ગૃહ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ પહેલા  તેમણે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે ફરજની લાઇનમાં જીવ ગુમાવનારા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

MODI 3.0 :  મનોહર લાલ ખટ્ટરે ઉર્જા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો

હરિયાણાના પૂર્વ સીએમ અને કરનાલના બીજેપી સાંસદ મનોહર લાલ ખટ્ટરે ઉર્જા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો,

MODI 3.0 :  એસ જયશંકરે વહેલી સવારે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

વિદેશ મંત્રી એસ જયશંકરે વહેલી સવારે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો, તમને જણાવી દઈએ કે એસ જય શંકરને મોદી સરકાર ૩.0 માં ફરીવાર વિદેશ મંત્રી તરીકે રીપીટ કરવામાં આવ્યા છે.

MODI 3.0 :  શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા પહેલા તેમને ઘરે મંદિરમાં પૂજાપાઠ કર્યા હતા.

MODI 3.0 : જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો,   સંચાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મારા માટે સન્માનની વાત છે કે વડા પ્રધાને મને સંચાર મંત્રાલયની જવાબદારી સોંપી છે… તેમના નેતૃત્વમાં, આ વિભાગમાં ક્રાંતિ આવી છે. હું શપથ લઉં છું કે અમે વડા પ્રધાન તેમજ ભારતના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અનુસાર સેવા પ્રદાન કરીએ.

MODI 3.0 :  કિરેન રિજિજુએ સંસદીય કાર્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

કિરેન રિજિજુએ સંસદીય કાર્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સંસદીય બાબતોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કિરેન રિજિજુએ કહ્યું, “મને આ મોટી જવાબદારી સોંપવા બદલ હું પીએમ મોદીનો આભાર માનું છું… અમે એ સુનિશ્ચિત કરીશું કે તમામને સાથે લઈને સંસદને સુચારૂ રીતે ચલાવવાની પીએમ મોદીની ઈચ્છા પૂર્ણ થાય…   તમામ રાજકીય પક્ષો, લોકસભા અને રાજ્યસભાના સભ્યોને તેમના સહકાર માટે વિનંતી કરું છું…

 MODI 3.0 :  જેપી નડ્ડાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

આજે  જગત પ્રકાશ નડ્ડાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે અનુપ્રિયા પટેલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે