Sodhi: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શ્રી સોઢી એટલે કે ગુરુચરણ સિંહના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અભિનેતાના પરિવારની સાથે મિત્રો પણ ટેન્શનમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે અને તેનો કોઈ પત્તો મળ્યો નથી. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસ તપાસ કરી રહી છે. હવે નિર્માતા અને અભિનેતા જેડી મજીઠિયાએ ગુરુચરણ સિંહના ગુમ થવાને લઈને એક મહત્વપૂર્ણ વાત કહી છે. તેણે જણાવ્યું કે તે અને ગુરુચરણ સિંહના મિત્ર ભક્તિ સોની 22 એપ્રિલે અભિનેતાને લેવા મુંબઈ એરપોર્ટ ગયા હતા, પરંતુ અભિનેતા આવ્યા ન હતા.
Sodhi: ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શ્રી સોઢી (Sodhi) એટલે કે ગુરુચરણ સિંહના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અભિનેતાના પરિવારની સાથે મિત્રો પણ ટેન્શનમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે અને તેનો કોઈ પત્તો મળ્યો નથી. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસ તપાસ કરી રહી છે. હવે નિર્માતા અને અભિનેતા જેડી મજીઠિયાએ ગુરુચરણ સિંહના ગુમ થવાને લઈને એક મહત્વપૂર્ણ વાત કહી છે.
તેણે જણાવ્યું કે તે અને ગુરુચરણ સિંહના મિત્ર ભક્તિ સોની 22 એપ્રિલે અભિનેતાને લેવા મુંબઈ એરપોર્ટ ગયા હતા, પરંતુ અભિનેતા આવ્યા ન હતા.
છેલ્લો મેસેજ ફ્રેન્ડ ભક્તિ સોનીને કર્યો હતો
ગુરુચરણ સિંહે (Sodhi) આ સંદેશ ભક્તિ સોનીને આપ્યો હતો જેડી મજીઠિયાએ જણાવ્યું કે જ્યારે તેણે અને ભક્તિએ એરપોર્ટ ઓથોરિટી પાસેથી આ અંગે પૂછપરછ કરી તો તેમને ખબર પડી કે ગુરચરણ સિંહ ફ્લાઈટમાં ચઢ્યા નથી. પરંતુ જેડી મજીઠિયાના જણાવ્યા અનુસાર, ફ્લાઈટમાં સવાર થતા પહેલા ગુરુચરણ સિંહે ભક્તિ સોનીને મેસેજ કર્યો હતો કે તેઓ બોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવાના છે.
‘તારક મહેતા’ ટીમ અને ગુરુચરણના પરિવારને સંદેશ મોકલ્યો જેડી મજીઠિયાએ વધુમાં કહ્યું કે, ‘ગુરુચરણના માતા-પિતા તેને શોધી રહ્યા હતા અને એક દિવસ પછી તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેના માતા-પિતા ખૂબ વૃદ્ધ છે અને તબિયત સારી નથી. જ્યારે ભક્તિએ મને કહ્યું, ત્યારે મેં પહેલું કામ જાગૃતિ ફેલાવવા માટે સંદેશ મોકલવાનું કર્યું જેથી તેઓ પગલાં લે અને અભિનેતાની શોધ કરે. મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે પણ માહિતી શેર કરી અને દિલીપ જોશી અને બીજા બધાનો સંપર્ક કર્યો.
ગુરુચરણ સિંહની માનસિક સ્થિતિ કેવી છે?
જ્યારે ગુરુચરણ સિંહના માનસિક સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવ્યું તો જેડી મજીઠિયાએ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. જ્યારે તેણે દિલીપ જોશીને તેના વિશે પૂછ્યું ત્યારે પણ તેણે કહ્યું કે ગુરુચરણ સિંહ એક અદ્ભુત વ્યક્તિ છે અને તે ઇચ્છે છે કે અભિનેતા સુરક્ષિત રીતે ઘરે આવે.
CCTV ફૂટેજમાં જોવા મળ્યા સોઢી, અપહરણ કેસ
ગુરચરણ સિંહ પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં ગુરચરણ સિંહ જતો જોવા મળે છે, પરંતુ હજુ સુધી અભિનેતાનો કોઈ સુરાગ મળ્યો નથી. તેનો ફોન પણ બંધ છે. જો કે, જ્યારે પોલીસને ગુરચરણ સિંહના ફોનની લેવડદેવડ મળી, ત્યારે તેમને કેટલીક બાબતો અંગે શંકા ગઈ. તેઓ શું છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.