UAEમાં જય સ્વામી નારાયણ, વડાપ્રધાન મોદીના હસ્તે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો મંદિરની સંપૂર્ણ વિગત    

0
398
UAE
UAE

UAE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસીય યાત્રા પર યૂએઈના પ્રવાસે છે.  14 ફેબ્રુઆરીએ તેઓ અબૂ ધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનું ઉદ્ધાટન કરશે. સાથે જ યૂએઈમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉમટે તેવી શક્યતા છે.  

UAE

UAE : સંયુક્ત અરબ અમીરાતમાં પહેલું હિન્દૂ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તેનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હાથે કરાશે. બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યૂએઈનું પહેલું હિન્દ મંદિર છે. આ મંદિરને 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે. જેમાં 7 ગોપુરમ અને અને મૂર્તિઓને કલાકારીની સાથે બનાવાઈ છે. આ ન માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને બતાવે છે, પરંતુ ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે સંબંધોને પણ મજબૂત બનાવવામાં ઘણુ મહત્વનું યોગદાન આપે છે. આ મંદિરમાં લગભગ 2000-5000 ભક્તોના મંદિરમાં આવવાની શક્યતા છે.

UAE : ક્યાં જોઈ શકશો જીવંત પ્રસારણ ?

UAE


અબુધાબી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના જીવંત પ્રસારણના સમય અંગે આપને જણાવવામાં આવે છે કે, 14 ફેબ્રુઆરી 2024 વસંત પંચમીના પવિત્ર દિને અબુધાબીમાં મંદિરની પ્રતિષ્ઠા વિધિ ગુરૂહરિ મહંત સ્વામી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે. જેના જીવંત પ્રસારણની વિગત આ નીચે મુજબ છે.

UAE : મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ

  • 14/02/2024 સવારે, ભારતીય સમય મુજબ 8.45થી 10 વાગ્યા સુધી, આ લિંક ઉપર નીહાળી શકશો live.baps.org

UAE : મંદિર લોકાર્પણ સમારોહ

  • 14/02/2024 સાંજે, ભારતીય સમય મુજબ 6થી 9.50 વાગ્યા સુધી, આ લિંક ઉપર નીહાળી શકશો live.baps.org

UAE : BAPS હિન્દુ મંદિર વિશે જાણવા જેવી વાતો

UAE

તે UAEનું પ્રથમ હિન્દુ મંદિર છે.

BAPS હિંદુ મંદિર ગુલાબી રાજસ્થાની સેંડસ્ટોન અને સફેદ ઈટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યું છે અને એસેમ્બલી માટે UAE લઈ જવામાં આવ્યું છે.

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 2015માં પીએમ મોદીની દેશની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.

જાન્યુઆરી 2019 માં, UAE સરકારે વધુ 13.5 એકર જમીન ફાળવી, આમ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી.

UAE

2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

મંદિરના સાત સ્પાયર્સ દરેક યુએઈના અમીરાતનું પ્રતીક છે.

મંદિરના સંકુલમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, થીમેટિક ગાર્ડન્સ, શીખવાની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે.

આ મંદિરના પાયામાં 100 સેન્સર સ્થાપિત છે અને ભૂકંપની ગતિવિધિ, તાપમાનમાં ફેરફાર વગેરેની તપાસ કરવા માટે અન્ય વિસ્તારોમાં વધુ સેન્સર છે.

મંદિરના નિર્માણ પાછળ 400 મિલિયન યુનાઇટેડ આરબ અમીરાત દિરહામનો ખર્ચ થવાનો અંદાજ છે.

UAEમાં બનેલા હિન્દુ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્ધારા કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. UAEમાં બની રહેલા મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, આ મંદિરની ડિઝાઈન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે.

UAE : આ મંદિર 108 ફૂટ ઊંચું છે

UAE

તેની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.

UAE : પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો સમાવેશ

મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે.

UAE : મંદિરમાં સાત શિખરો છે

UAE

મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે. મંદિરમાં બે ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે. જેને ‘સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. તેમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળે છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे