Home Main હિંડનબર્ગ કેસ : SCના આકરા સવાલ કહ્યું- અખબારોમાં છપાયેલા અહેવાલોને અંતિમ સત્ય...

હિંડનબર્ગ કેસ : SCના આકરા સવાલ કહ્યું- અખબારોમાં છપાયેલા અહેવાલોને અંતિમ સત્ય ન માની શકાય

0
553
Hindenburg case
Hindenburg case

Hindenburg and OCCRP report : શુક્રવારે હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ તેમજ OCCRP રિપોર્ટ પર કડક ટિપ્પણી કરી હતી, જેને સેબીએ પણ સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન, સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) ના રિપોર્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જો આવા ‘સ્વ-સેવા’ અહેવાલોને ધ્યાનમાં લેવામાં આવે તો સેબીનો કોઈ અર્થ રહેશે નહીં અને SC દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ સહિત દરેકનું કાર્ય વ્યર્થ જશે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, OCCRP પાસેથી તેના રિપોર્ટની વિગતો માંગવામાં આવી હતી, પરંતુ તેમણે એક NGOનો સંપર્ક કરવા કહ્યું, જે અરજદાર વકીલ પ્રશાંત ભૂષણની જ NGO છે. સોલિસિટર જનરલના જણાવ્યા અનુસાર, પ્રશાંત ભૂષણે જે રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે તે વાસ્તવમાં તેમની NGOમાંથી લેવામાં આવ્યો હતો અને પછી તેમણે પોતાના રિપોર્ટની તપાસ માટે PIL દાખલ કરી છે.

જ્યારે પ્રશાંત ભૂષણે હિંડનબર્ગ રિપોર્ટ (Hindenburg Report)નો ઉલ્લેખ કર્યો ત્યારે CJIએ કહ્યું કે, અમારે હિંડનબર્ગ રિપોર્ટ જોવાની જરૂર નથી કારણ કે તેના તથ્યો અમારી સામે નથી, અને તેથી જ અમે સેબીને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટની સત્યતા અંગે કોઈ પુરાવા નથી, તેથી તપાસ સેબીને સોંપવામાં આવી છે.

પ્રશાંત ભૂષણે SC દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુપ્રીમે તમામ પક્ષકારો પાસેથી લેખિત દલીલો માંગી :

હિંડનબર્ગ કેસ (Hindenburg case)ની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારો પાસેથી સોમવાર સુધી લેખિત દલીલો માંગી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મહત્વની વાત એ હતી કે સુનાવણી દરમિયાન કોર્ટે રોકાણકારોના હિત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોને સાચા માની શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની કમિટીએ 19 મે 2023ના રોજ અદાણી-હિંડનબર્ગ કેસ (Adani Hindenburg case)ની તપાસ રિપોર્ટ સાર્વજનિક કરી દીધી હતી. સમિતિએ કહ્યું હતું કે, શું અદાણીના શેરના ભાવમાં કથિત હેરાફેરી પાછળ સેબીની નિષ્ફળતા છે કે નહીં? આ નિષ્કર્ષ પર હજી સુધી પહોંચી શકાયું નથી. સમિતિએ એમ પણ કહ્યું હતું કે જૂથ કંપનીઓમાં વિદેશી ભંડોળ અંગે સેબીની તપાસ અનિર્ણિત રહી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે